________________
११२
नयविंशिका-१३
पगमकलङ्केनाकलङ्कितत्वाच्छुद्धम् । ततश्च शुद्धद्रव्याभ्युपगमपरत्वादयमेव शुद्धः ।' इति [सू० ९७ वृत्तौ] । अत्राप्यनेकत्वस्य पर्यायार्थिकनयविषयतया तदभ्युपगमो द्रव्यार्थिकस्य कलङ्कतयाऽशुद्धितया चोक्त इति स्पष्टमेव । ततश्च प्रतिपक्षनयदृष्टेरमिश्रणमिश्रणापेक्षे एते शुद्धाशुद्धत्वे इत्यपि स्पष्टमेव ।
किञ्च विशेषग्राहिणो व्यवहारस्य सामान्यग्राहिणी नयदृष्टिः प्रतिपक्षनयदृष्टिरिति स . यथा यथा विशेषानर्पयति, सामान्यं चानर्पयति, तथा तथा तस्य शुद्धिर्भवति । अथ घटशरावादीन् मृत्त्वेन गृह्णन्नेको व्यवहारनयाभिप्रायः, घट-शरावत्वादिना गृह्णश्च द्वितीयो व्यवहारनयाभिप्रायः, अनयोर्मध्ये कः शुद्धः? कश्चाशुद्धः? इति विचार्यमाणे द्वावपि शुद्धतयाऽशुद्धतया च प्राप्येते । इदमत्र रहस्य-मृदपेक्षया घटशरावादयो विशेषाः, मृत्त्वं तदपेक्षया
પરમાણુત્વની સમાનતાના કારણે એક જ માને છે. વળી કૃષ્ણવર્ણાદિ ગુણ સમૂહને નજરમાં લેતો નથી. તેથી વર્ણાદિભેદે પણ પરમાણુઓનો ભેદ કહેતો નથી.) આ નજીકનો પરમાણુ છે, આ દૂરનો છે. આવો વિભાગ પણ માનતો નથી. તેથી એના કારણે પણ પરમાણુના ભેદ થઈ જતા નથી. આમ ભેદ વિનાનું નિત્યસામાન્યરૂપ દ્રવ્ય જ એ માને છે. આ દ્રવ્ય અનેકતાવગેરરૂપ કલંકથી અકલંકિત હોવાથી શુદ્ધ છે. આમ, શુદ્ધદ્રવ્યને માનનારો હોવાથી સંગ્રહનય શુદ્ધ છે. [સૂ. ૯૭ની વૃત્તિ). આ અધિકારમાં પણ, અનેકત્વ એ પર્યાયનયનો વિષય હોવાથી દ્રવ્યાર્થિક નયે એને માનવું એ કલંકરૂપે અને અશુદ્ધિરૂપે કહેલ છે જ. તેથી, પ્રતિપક્ષનયદષ્ટિના અમિશ્રણ-મિશ્રણની અપેક્ષાએ આ શુદ્ધાશુદ્ધત્વ છે એ સ્પષ્ટ છે.
વળી, વ્યવહારનય વિશેષગ્રાહી છે. તેથી સામાન્યગ્રાહિણી નયદષ્ટિ એ એના માટે પ્રતિપક્ષનયષ્ટિ છે. એટલે વ્યવહારનય જેમ જેમ વિશેષોની અર્પણા કરે અને સામાન્યની અર્પણા કરે તેમ તેમ એ શુદ્ધ બને છે.
હવે આપણે એ વિચારવું છે કે ઘટ-શરાવ વગેરેનો માટી તરીકે બોધ કરનાર વ્યવહારનય અને ઘટ-શરાવ વગેરે તરીકે બોધ કરનાર વ્યવહારનય. વ્યવહારનયના આ બે ભેદમાં કોણ શુદ્ધ છે ? અને કોણ અશુદ્ધ છે ? તો બન્ને શુદ્ધ પણ છે ને બન્ને અશુદ્ધ પણ છે એમ નિશ્ચિત થાય છે. અહીં રહસ્ય આવું છે-માટીની અપેક્ષાએ ઘટશરાવ વગેરે વિશેષ છે અને માટી “સામાન્ય છે. એટલે વ્યવહારનયને જ્યારે દ્રવ્યાર્થિક તરીકે ગણવામાં આવે ત્યારે, માટી સ્વરૂપ સામાન્યનો અર્પક અને ઘટ-શરાવાદિરૂપ વિશેષનો અનર્પક એવો “આ માટી છે' એવો વ્યવહારનયાભિપ્રાય, માટીસ્વરૂપ સામાન્યનો