SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ९६ नयविंशिका-१२ गवि तत्प्रवृत्तिः, गोत्वलक्षणस्य सामान्यस्य सत्त्वेऽपि तदा तस्य गमनलक्षणेन लक्षणेन लक्षितत्वाभावादिति कुतोऽतिप्रसङ्गः ? न च प्रसिद्धार्थपुरस्कर्तुरेवम्भूतनयस्य मते घटादिपदान्निर्विकल्पकापत्तिः, घटत्वस्य प्रवृत्तिनिमित्तत्वाभावात् तदुपरागेण विनैव घटोपस्थितेरिति वाच्यं, क्रियाशब्दमात्रवादिन एतस्य मते क्रियोपरागेणैव पदार्थोपस्थितिनियमात् तद्दोषाभावात् । अयमाशयः-न हि कश्चिदक्रिया રાજાને “રાજ' શબ્દ વાચ્ય માનવાની આપત્તિ. આ નય તો વ્યુત્પત્તિનિમિત્તથી લક્ષિત સામાન્યને જ પ્રવૃત્તિનિમિત્ત તરીકે સ્વીકારે છે. એટલે કે ગમનવિશિષ્ટગોત્વ જ એના મતે પ્રવૃત્તિનિમિત્ત છે. તેથી ગમનકર્તી અશ્વને જણાવવા “ગાય” શબ્દ બોલાશે નહીં, કારણ કે વ્યુત્પત્તિનિમિત્તભૂત ગમનાત્મક લક્ષણ હોવા છતાં ગોત્વસામાન્ય નથી. એમ ગમન નહીં કરતી ગાયને જણાવવા માટે પણ “ગાય” શબ્દ વપરાશે નહીં, કારણ કે ગોવાત્મક સામાન્ય હોવા છતાં ત્યારે એ ગમનાત્મક લક્ષણથી લક્ષિત નથી. પછી અતિપ્રસંગ દોષ શી રીતે આવે ? (ટૂંકમાં વ્યવહારનય ગોત્વને, એવંભૂતનય ગમનને અને એવભૂતનયની છાયાવાળો વ્યવહારનય ગોત્વવિશિષ્ટગમનને પ્રવૃત્તિનિમિત્ત માને છે.) શંકા - પ્રસિદ્ધ અર્થને આગળ કરનાર એવંભૂતન ઘટાદિપદ સાંભળવાથી ઘટની જે ઉપસ્થિતિ થશે તે નિર્વિકલ્પજ્ઞાનરૂપ થશે, કારણ કે ઘટત્વ એ પ્રવૃત્તિનિમિત્ત નથી. પદજન્યપદાર્થઉપસ્થિતિમાં પ્રવૃત્તિનિમિત્ત પ્રકારતરીકે ભાસે એવો નિયમ છે. પણ હવે ઘટત્વ એ જો પ્રવૃત્તિનિમિત્ત નથી, તો એ પ્રકાર તરીકે નહીં જ ભાસે... અને નિષ્પકારકજ્ઞાન એ જ તો નિર્વિકલ્પકજ્ઞાન છે. માટે, ઘટત્વને આગળ કર્યા વિના થનાર એ ઉપસ્થિતિ નિર્વિકલ્પક જ હશે. સમાધાન - જે કોઈ શબ્દ બોલાય છે તે બધા ક્રિયાપ્રવૃત્તિનિમિત્તક જ હોય છે, આવું માનનાર આ નયના મતે “ક્રિયાને આગળ કરીને પદજન્યપદાર્થોપસ્થિતિ થાય છે' એવો નિયમ છે. એટલે કે ઘટની ઉપસ્થિતિમાં પ્રકારરૂપે ઘટત્વસામાન્ય ભલે નથી ભાસતું, ઘટનક્રિયા તો ભાસે જ છે. પછી એ ઉપસ્થિતિરૂપ જ્ઞાન નિર્વિકલ્પક હોવાનો દોષ ક્યાંથી ? આશય આવો જાણવો- આ નય મત એવો કોઈ શબ્દ છે નહીં જેનું પ્રવૃત્તિનિમિત્ત “ક્રિયા' ન હોય. જેના પ્રવૃત્તિનિમિત્ત તરીકે જાતિ અભિપ્રેત છે એવા ગોઅશ્વ વગેરે પણ ક્રિયાશબ્દ (= કિયા છે પ્રવૃત્તિનિમિત્ત જેની એવો શબ્દ) જુ છે, જેમકે
SR No.005793
Book TitleNyayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy