________________
એક ઉપયોગી પ્રકાશન મધ્યકાળના વિદ્વાનોએ પુષ્કળ કામ કર્યું છે. તે સમયના જ એક બહુશ્રુત વિદ્વાન ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજના ત્રિશતાબ્દી (સં.૨૦૪૩)ના અવસરે સંપાદનો, પરિસંવાદ વગેરેના નિમિત્તે વર્તમાનકાળના વિદ્વાનોએ ઠીકઠીક ઊહાપોહ કર્યો. તેમના ગ્રંથોનાં વિશદ પરિચય-પરિશીલન થયાં અને તેમના જીવન વિશે પણ ઊંડી વિચારણા થઈ. ત્યારે આ વાત થઈ કે - પૂજ્ય ઉપાધ્યાયજીના ગ્રંથો મુદ્રિત અને હસ્તલિખિત ક્યાં
ક્યાં છે તેની એક સમગ્ર સૂચિ પ્રકાશિત થાય તો વિદ્વાનોને સંશોધન-સંપાદન અને અધ્યયનમાં ઉપયોગી બની રહે.
અને પછી એ વિષયના નિષ્ણાત શ્રી જયંતભાઈએ જ એ કાર્ય ગોઠવી આપ્યું ગુજરાતી સાહિત્ય પરિષદે પણ ઉદારતાપૂર્વક સાહિત્યકોશની સામગ્રી - ફાઇલ, કાર્ડ વગેરે – આના સંપાદન માટે વાપરવા આપી.
શ્રી દર્શનાબહેન કોઠારી જેઓ શ્રી જયંતિભાઈ કોઠારીનાં દીકરી થાય છે તેમનામાં શ્રી જયંતભાઈની ચીવટ અને ચોકસાઈનો ગુણ કેટલોક ઊતર્યો છે. તેમણે તથા શ્રી દીપ્તિબહેન શાહે આ કામ ખૂબ ખંતથી કરી આપ્યું છે તેનો ઉલ્લેખ કરતાં આનંદની લાગણી થાય છે. શ્રી
યંતભાઈ તો આના મુખ્ય પ્રયોજક છે તેથી તેમના પ્રત્યે કૃતજ્ઞતા જ પ્રકટ કરું છું..
આશા છે કે આ પ્રકાશન વિદ્વાનોને ઉપયોગી નીવડશે.
વિ.સં. ૨૦૨૫ વૈશાખ વદ ૧૦
પ્રદ્યુમ્નસૂરિ