SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ એક ઉપયોગી પ્રકાશન મધ્યકાળના વિદ્વાનોએ પુષ્કળ કામ કર્યું છે. તે સમયના જ એક બહુશ્રુત વિદ્વાન ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજના ત્રિશતાબ્દી (સં.૨૦૪૩)ના અવસરે સંપાદનો, પરિસંવાદ વગેરેના નિમિત્તે વર્તમાનકાળના વિદ્વાનોએ ઠીકઠીક ઊહાપોહ કર્યો. તેમના ગ્રંથોનાં વિશદ પરિચય-પરિશીલન થયાં અને તેમના જીવન વિશે પણ ઊંડી વિચારણા થઈ. ત્યારે આ વાત થઈ કે - પૂજ્ય ઉપાધ્યાયજીના ગ્રંથો મુદ્રિત અને હસ્તલિખિત ક્યાં ક્યાં છે તેની એક સમગ્ર સૂચિ પ્રકાશિત થાય તો વિદ્વાનોને સંશોધન-સંપાદન અને અધ્યયનમાં ઉપયોગી બની રહે. અને પછી એ વિષયના નિષ્ણાત શ્રી જયંતભાઈએ જ એ કાર્ય ગોઠવી આપ્યું ગુજરાતી સાહિત્ય પરિષદે પણ ઉદારતાપૂર્વક સાહિત્યકોશની સામગ્રી - ફાઇલ, કાર્ડ વગેરે – આના સંપાદન માટે વાપરવા આપી. શ્રી દર્શનાબહેન કોઠારી જેઓ શ્રી જયંતિભાઈ કોઠારીનાં દીકરી થાય છે તેમનામાં શ્રી જયંતભાઈની ચીવટ અને ચોકસાઈનો ગુણ કેટલોક ઊતર્યો છે. તેમણે તથા શ્રી દીપ્તિબહેન શાહે આ કામ ખૂબ ખંતથી કરી આપ્યું છે તેનો ઉલ્લેખ કરતાં આનંદની લાગણી થાય છે. શ્રી યંતભાઈ તો આના મુખ્ય પ્રયોજક છે તેથી તેમના પ્રત્યે કૃતજ્ઞતા જ પ્રકટ કરું છું.. આશા છે કે આ પ્રકાશન વિદ્વાનોને ઉપયોગી નીવડશે. વિ.સં. ૨૦૨૫ વૈશાખ વદ ૧૦ પ્રદ્યુમ્નસૂરિ
SR No.005777
Book TitleUpadhyay Yashovijay Sahitya Suchi
Original Sutra AuthorN/A
AuthorDarshana Kothari, Dipti Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1999
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy