________________
૫ કારણુદોષ
छुहवेयणवेयावच्च-संजममुज्झाणपाणरक्खणट्ठा । • इरियं च विसोहेउं भुंजइ न रूवरसहेऊ ॥१५॥
(પિ વિ. ૯૮) આહાર કરવાનાં છ કારણે છે. આ છે કારણે સિવાય આહાર વાપરે તે કારણોતિરિક્ત નામને દેષ લાગે.
છ કારણે–૧ સુધાવેદનીય દૂર કરવા, ૨ વૈયાવચ સેવા ભક્તિ કરવા, ૩ સંયમનું પાલન કરવા, ૪ શુભધ્યાન કરવા, ૫ પ્રાણેને ટકાવી રાખવા, ૬ ઈર્યાસમિતિનું પાલન કરવા. આ જ કારણે સાધુ આહાર વાપરે, પરંતુ શરીરનું રૂપ કે જીભના રસને માટે ન વાપરે.
૧ સુધાનું નિવારણ કરવા–ભૂખ જેવી કેઈ પીડા નથી, માટે ભૂખને દૂર કરવા આહાર વાપરે. આ શરીરમાં એક તલના ફોતરા જેટલી જગ્યા એવી નથી કે જે બાધા ન આપે. આહાર વગરના-ભૂખ્યાને બધાં દુઃખો સાન્નિધ્ય કરે છે, અર્થાત્ ભૂખ લાગે ત્યારે બધાં દુઃખે આવી ચઢે છે, માટે ભૂખનું નિવારણ કરવા સાધુ આહાર વાપરે.