________________
-3 :
: ૨૮૬: ૩ મિથ્યાત્વ—દોષિત ભિક્ષા લેવાને નિષેધ કરેલ છે, છતાં આ તે લે છે. એટલે બીજા સાધુ આદિને અશ્રદ્ધા થાય. અશ્રદ્ધા થઈ એટલે મિથ્યાત્વ પામે.
૪ સંયમ વિરાધના–ઉષ્ણ કે શીત ભિક્ષા આપતાં નિચે ભૂમિ ઉપર વેરાય ત્યાં પૃથ્વીકાયાદિ હોય તેની વિરાધના થાય. તેથી સંયમ વિરાધના.
૫ આત્મ વિરાધના–ભિક્ષા ગરમાગરમ હોય અને ઢળાય તે કાં તે આપનાર દાઝે કે સાધુ દાઝે તેથી આત્મવિરાધના.
૬ પ્રવચન વિરાધના–આપનાર કે લેનાર દાઝે તે લેકે જેમ તેમ બેલે તેથી પ્રવચન વિરાધના. નીચે છાંટે પડે તે પરંપરાએ કેવા દેષ સર્જાય
તે ઉપર દૃષ્ટાંત - વારાપુર નામના નગરમાં અભયસેન નામના રાજા રાજ્ય કરે છે. તેમને વારત્તક નામને પ્રધાન છે.
એક વખત તે નગરમાં ધર્મષ નામના એક મુનિએ ભિક્ષાએ ફરતાં ફરતાં મંત્રીના ઘરમાં પ્રવેશ કર્યો ઘરમાં રહેલી સંગીની સ્ત્રી ઘી, સાકરયુક્ત ખીર ભરેલી થાળી લઈને વહેરાવવા જાય છે, ત્યાં અચાનક ખીરને છાંટે જમીન ઉપર પડ્યો. આ જોઈ ભિક્ષા લીધા સિવાય મુનિ તે ઘરમાંથી નીકળી ગયા.
તે ૩૧