________________
': ૨૬ : ૨ વૃદ્ધ-૬૦ વર્ષ મતાંતરે ૭૦ વર્ષની ઉંમરવાળા વૃદ્ધ પાસેથી ભિક્ષા લેવી કલ્પ નહિ. કેમકે અતિવૃદ્ધની પાસેથી ભિક્ષા લેવામાં અનેક પ્રકારના દે રહેલા છે.
અતિવૃદ્ધપણને લીધે તેના મેંમાંથી લાળ પડતી હોય તેથી આપતાં આપતાં આપવાની વસ્તુમાં પણ લાળ પડે, તે જોઈને જુગુપ્સા થાય કે “કેવી ગંદી ભિક્ષા લેનારા છે?’
હાથ કંપતા હોય તેથી વસ્તુ હેળાઈ જાય કે નીચે વેરાય તેમાં છકાય જીવની વિરાધના થાય.
વૃદ્ધ હોવાથી આપવા જતાં પિતે જ પડી જાય, તે જમીન ઉપર રહેલા જીવની વિરાધના થાય, કે વૃદ્ધના હાથ પગ આદિ ભાગે કે ઉતરી જાય. ,
વૃદ્ધ જે ઘરને નાયક ન હોય તે ઘરના માણસને તેના ઉપર દ્વેષ થાય કે આ ડેકર બધુ આપી દે છે. કાંતે સાધુ ઉપર દ્વેષ કરે કે બન્ને ઉપર દ્વેષ કરે.
અપવાદ–વૃદ્ધ હોવા છતાં મેંમાંથી લાળ પડતી ન હોય, શરીર કંપતું ન હોય, શક્તિશાળી હોય, ઘરને માલિક હોય, તે તેનું આપેલું લેવું કલ્પી શકે.
૩ મત્ત–દારૂ વગેરે પીધેલ હેય, તે તેની પાસેથી ભિક્ષા લેવી ન કલ્પે.
દારૂ આદિ પીધેલ હેવાથી ભાન ન હય, એટલે કદાચ સાધુને વળગી પડે, અથવા તે બકવાટ કરે કે “અરે! મુંડીઓ! કેમ અહીં આવ્યું છે?” એમ બેલને મારવા પણ આવે,