SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ અંતરદ્વાર દિક ટીકાર્યું : બાદરનિગદ ઇ બાદરનિગોદમાંથી નીકળી બીજા સ્થાને ઉત્પન્ન થઈ ફરી બાદરદિપણાને પામે તે જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત લેક પ્રમાણ અંતર થાય છે. એટલે અસંખ્યાત કાકાશની પ્રદેશરાશિને દરેક સમયે અપહાર કરવાથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણે ઉત્કૃષ્ટ અંતરકાળ થાય છે. બાદર નિગદમાંથી નીકળેલા બાદરનિગોદેને સૂકમનિગોદ, પૃથ્વી, અપૂ, તેજે, વાયુ અને ત્રસજીવે અને પ્રત્યેક વનસ્પતિકાય એમના ઉત્પત્તિસ્થાન છે. તેઓમાં ઉત્કૃષ્ટથી આટલા કાળની સ્થિતિ થાય છે. એ પ્રમાણે સૂક્મનિગોદમાંથી નીકળી બીજા સ્થાનમાં ઉત્પન્ન થઈ ફરી સૂક્ષ્મ નિગોદરૂપ થાય છે એટલે જ ઉત્કટ અંતરકાળ વિચારે. સનિગોદને પોતાની કાયમાંથી નીકળી બાદર નિગોદ પૃથ્વી વગેરેમાં ઉત્પન્ન થવાનું હોય છે તેમાં તેઓને ઉત્કૃષ્ટથી આટલે જ સ્થિતિકાળ હોય છે. સામાન્યથી વનસ્પતિકાયને પણ પિતાની કાયમાંથી નીકળી બીજા સ્થાને ઉત્પન્ન થનારને પણ અંતર આજ હોય છે. તેઓને પણ ત્યાંથી નીકળીને પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, અને વાયુકાય વગેરેમાં જવાનું હોય છે. તેઓમાં ઉત્કટથી આટલા જ કાળની અવસ્થિતિ હોય છે. અહીં જે આગળ કહેલાને અંતરકાળ ફરીથી કહ્યો છે તે ત્રણે જીવરાશિનો અંતરકાળ સમાન છે. એમ જણાવવા માટે છે. એટલે કે ઈ દેષ નથી. બીજી પણ ત્રણ જીવરાશિને અંતરની સમાનતા બતાવે છે. તિર્યંચગતિમાંથી નીકળી બાકીની ત્રણે ગતિમાં ભમીને ફરી તિર્ય“ચપણને પામે તે જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક સસાગરેપમ પૃથફત્વનું અંતર છે. અહી . ગાથામાં સાતિરેક પણ કહ્યું નથી, કારણકે તે અ૯પ છે માટે સ્વયં જાણી લેવું. બાકીની ત્રણે ગતિમાં જીવને અવસ્થાનકાળ ઉત્કૃષ્ટથી આટલે જ છે. નપુંસકને નપુંસકપણું છોડી સ્ત્રી કે પુરૂષ રૂપે ઉત્પન્ન થઈ ફરી નપુંસક તરીકે ઉત્પન્ન થાય તે આટલે જ કાળ જાણો. સ્ત્રીવેદ પુરૂષદને ઉત્કૃષ્ટથી પણ આટલે જ સ્થિતિકાળ છે. એમ ન માનવું કે આટલે કાળ તે પુરૂષ વેદને જ છે જે પહેલા કહી ગયા છીએ. આથી સ્ત્રીવેદને કાળ જ હે જોઈએ. આ કાળ થડો જ છે તેથી સાધિક સાગરેપમ શતપૃથફત્વ રૂપ પુરૂષદના કાળમાં જ એને અંતર્ભાવ થઈ જાય છે માટે કોઈ દોષ નથી. - જે સંસી નથી તે અસંજ્ઞી એ પ્રમાણેની વ્યુત્પતિથી ગર્ભજ પદ્રિય સંજ્ઞી સિવાયના સર્વે એકેદ્રિય વગેરે અસંણી રૂપે ગણાય છે. તેઓ અસશીપણુ છોડી ગર્ભજ પંચેંદ્રિય રૂપ સંસીમાં ઉત્પન્ન થાય અને ફરી અસંજ્ઞીપણાને પામે તે આટલે અંતરકાળ થાય. સંજ્ઞીએને પણ અવસ્થિતિકાળ આગળ આટલે જ કહ્યો છે, જે અહીં અસંજ્ઞી તરીકે સિદ્ધાંતમાં કહેલ સંમૂર્ણિમ પંચેંદ્રિય રૂ૫ ગ્રહણ કરીએ તે તેને બીજા સ્થાને ઉત્પન્ન થઈ ફરી
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy