________________
શ્રેષ્ઠ રૂપાદિથી યુક્ત એવું શરીર ચિરકાળ સુધી ભોજન વિના ટકી શકશે નહિ.
કારણ કે લાંબા કાળ સુધીની ઔદારિક શરીરની સ્થિતિ ભુક્તિપ્રયોજ્ય છે. અર્થાત્ જ્યાં ભુક્તિ(ભોજન)પ્રયોજ્યત્વનો અભાવ છે, ત્યાં લાંબા કાળ સુધી શરીરની સ્થિતિ હોતી નથી. એવી દીર્થ સ્થિતિ માટે ભોજન માન્યા વિના ચાલે એવું નથી. શ્રી કેવલીપરમાત્મા કવલાહાર ન કરે તો દેશોના પૂર્વ કરોડ વર્ષ સુધી તેઓશ્રીનું પરમ ઔદારિક શરીર ટકે કઈ રીતે ? ભોજન, શરીરની ચિરકાળ સ્થિતિની પ્રત્યે પુગલવિશેષનો ઉપચય કરવા દ્વારા ઉપયોગી બને છે. “વનસ્પતિકાય જીવોનાં ઔદારિક શરીરો હજારો વર્ષો સુધી કવલાહાર વિના કઈ રીતે ટકે છે ?'-આવી શઠ્ઠા નહિ કરવી જોઈએ. કારણ કે તે જીવોના શરીરની લાંબા કાળ સુધીની સ્થિતિ પણ પાણી વગેરેના ગ્રહણથી જ ઉપપન્ન છે. અન્યથા તો તે શરીરો પણ નાશ પામે છે.
આથી ચોક્કસ છે કે શરીરની વિશેષ સ્થિતિમાં (ચિરકાળભાવિ સ્થિતિની પ્રત્યે) કવલાહારથી પ્રાપ્ત થયેલાં વિચિત્ર પુલોનું ઉપાદાન, કારણ છે. તેથી કવલાહારને
ર્યા વિના કોઈ પણ રીતે શ્રી કેવલીપરમાત્માને પોતાના પરમ ઔદારિક શરીરની સ્થિતિ દીર્ઘકાળ માટે ઘટી શકે એમ નથી.
“આ રીતે દારિક શરીરની દીર્ઘકાલીન સ્થિતિ