SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ જણાવ્યું છે... વગેરે બરાબર સમજી લેવું જોઈએ. ૩૦-૧૭ળી, ઉપર જણાવ્યા મુજબ શાતાવેદનીયકર્મની ઉદીરણાનો પ્રસંગ, અશાતાદનીયની ઉદીરણાના પ્રસંગના આપાદનથી દૂર કર્યો છે. તેથી વસ્તુતઃ તે દૂર થયો ન હોવાથી મિત્રભાવે તેના નિવારણ માટે જણાવાય છે उदीरणाख्यं करणं, प्रमादव्यङ्ग्यमत्र यत्,। तस्य तत्त्वमजानानः, खिद्यसे स्थूलया धिया ॥३०-१८॥ અહીં પ્રમાદથી જણાતું ઉદીરણા નામનું જે કરણ છે, તેનું સ્વરૂપ નહિ જાણતા એવા તમે સ્કૂલબુદ્ધિથી વ્યર્થ ખેદ પામો છો.”-આ પ્રમાણે અઢારમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આત્યંતર શક્તિવિશેષને કરણ કહેવાય છે. ઉદીરણા નામનું કરણ પ્રમાદથી અભિવ્યગ્ય(જાણવાયોગ્ય) છે. એ ઉદીરણાનું સ્વરૂપ જાણતા ન હોવાથી, માત્ર બાહ્ય ક્વલાહારાદિની થતી પ્રવૃત્તિને જોઈને સ્કૂલ બુદ્ધિથી તમે દિગંબરો નકામા ખેદ પામો છો. કારણ કે ઉદીરણાને ખેંચી લાવનાર પ્રમાદ છે, માત્ર બાહ્ય ક્રિયા નથી. માત્ર બાહ્ય ક્રિયાથી જ ઉદીરણા થતી હોય તો મનોયોગે અપ્રમત્ત ગુણસ્થાનકે યતિને પણ સુખની
SR No.005727
Book TitleKevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy