________________
નથી. ભોજન રોગનું નિમિત્ત હોવાથી તેનો પરિહાર કરવા માટે કેવલીપરમાત્મા ભોજન કરતા નથી. કારણ કે તેઓશ્રી સદા નીરોગી હોય છે તેથી રોગના નિમિત્તથી તેઓથી દૂર રહે છે.
ઉપર જણાવ્યા મુજબ શ્રી કેવલીપરમાત્મા કવલાહાર વાપરતા નથી-આ પોતાની માન્યતાનું સમર્થન પંદર હેતુઓથી દિગંબરોએ કર્યું. તેનું નિરાકરણ હવે પછીના લોકોથી કરાશે. શ્વેતાંબરોની માન્યતા મુજબ કેવલી પરમાત્મા સામાન્યથી દરરોજ એકાસણું કરે છે.
૩૦-પા.
םםם
પૂર્વપક્ષનું નિરાકરણ કરવાનો આરંભ કરાય છેसिद्धांतश्चायमधुना, लेओनास्माभिरुच्यते । दिगम्बरमतव्यालपलायनकलागुरुः ॥३०-६॥
છેલ્લા પાંચ શ્લોકોથી દિગંબરોના સિદ્ધાંતનું વર્ણન કરીને હવે અમારા વડે સંક્ષેપથી આ શ્વેતાંબરોના સિદ્ધાંતનું વર્ણન કરાય છે, જે દિગંબરમતસ્વરૂપ સર્પને ભાગી જવા માટે મોરસમાન છે. મોરને જોઈને સર્પ જેમ ભાગી જાય છે, તેમ આ સિદ્ધાંતસ્વરૂપ મોરના દર્શનથી દિગંબરમત- સ્વરૂપ સર્પ પણ ભાગી જાય છે. ll૩૦-૬
દર દ દરદ જ્ઞExદ C cર રરરરર રર રર રદ