________________
વાસ્તવિકતાથી ખૂબ જ દૂર રહ્યા છે. પરંતુ એમની વાતમાં આવી જઈને આપણે વાસ્તવિકતાથી દૂર ન ધઈએ એ માટે .અહીં ગ્રંથકાર પરમર્ષિએ આપણી ઉપર અનુગ્રહ કરવા દ્વારા પ્રયત્ન કર્યો છે.
ધર્મનું અગાધ સ્વરૂપ જોતાં અહીં ખૂબ જ અલ્પાંશે વાસ્તવિક વ્યવસ્થાનું નિરૂપણ કરાયું છે-એમ માન્યા વિના ચાલે એવું નથી. પરંતુ એ દિશાસૂચન મુજબ, અહીં જેનું નિરૂપણ કરાયું નથી એવા વિષયોનું પણ દર્શન કરી લેવાનું આવશ્યક છે. અહીં ભક્ષ્યાભક્ષ્યનો અને ગમ્યાગમ્યનો વિવેક તેમ જ તપવિશેષ અને દયાવિશેષ : એ ચારનું નિરૂપણ મુખ્યપણે કરાયું છે. શ્લો.નં. ૨ થી ૧૭, ૧૮ થી ૨૪; ૨૫-૨૬ અને ૨૭ થી ૩૧ : આ ચાર વિભાગમાં એ ચારનું નિરૂપણ કર્યું છે. ભક્ષ્યાભક્ષ્યના વિવેકમાં પેયાપેયનો વિવેક પણ પ્રસઙ્ગથી સત્તરમા શ્લોકમાં દર્શાવ્યો છે. સામાન્યથી નિરૂપણીય વિષયનો નિર્દેશ આ પ્રથમ શ્લોકથી કર્યો છે. શાસ્ત્રીય પરિભાષામાં આ શ્લોક દ્વારપરામર્શ છે. આ શ્લોકમાં વર્ણવેલા ચાર દ્વારથી અહીં ધર્મવ્યવસ્થાનું નિરૂપણ છે. ।।૧૭-૧
ઉપર જણાવેલા ચારમાં પ્રથમ ભણ્યાભક્ષ્યના વિવેકને જણાવાય
છે.
भक्ष्यं मांसमपि प्राह कश्चित् प्राण्यङ्गभावतः । ઓવનાવિવવિત્યેવમનુમાનપુર:સરમ્ II9-રા
‘‘કો’ક(બૌદ્ધ) કહે છે કે પ્રાણીનું અફ્ળ હોવાથી માંસ પણ
ભક્ષ્ય છે. ભાત વગેરેની જેમ. આવા અનુમાનને આગળ કરીને માંસને
પણ બૌદ્ધ ભક્ષ્ય તરીકે જણાવે છે.’’-આ પ્રમાણે બીજા શ્લોકનો
演 演 )
૨
HE CENT અને મને