________________
મુજબ આર્તધ્યાનાદિનું કારણ હોવાથી અને કર્મના કારણે ઉદ્ભવતું હોવાથી દુઃખસ્વરૂપ તપ આચરવાજેવું નથી. -આ પ્રમાણેની પૂર્વપક્ષીની માન્યતા બરાબર નથી. કારણ કે મન અને ઈન્દ્રિયોના યોગોની સમાધિનું ઉલ્લંઘન કર્યા વિના અર્ધા એ યોગોને અસમાધિન થાય એ રીતે તપ કરાય છે. આગમમાં જણાવ્યું છે કે તપ એવી રીતે કરવાનો છે કે જેથી મન ખરાબ વિચાર ન કરે, ઈન્દ્રિયોની હાનિ ન થાય અને સંયમના જ્ઞાનાદિ યોગોની હાનિ ન થાય. આ રીતના વચનથી તપ કરાય છે તેથી તે દુ:ખસ્વરૂપ થતો નથી તેમ જ આર્તધ્યાનનું કારણ પણ બનતો નથી. પરંતુ તેવા પ્રકારની તપની આરાધનાથી ભાવારોગ્યના લાભની સંભાવનાથી મનમાં સુખની પ્રાપ્તિ થાય છે.
આમ છતાં કોઈ વાર કોઈ તપસ્વીને દેહને પીડા થતી હોવા છતાં પુષ્કળ એવા માનસિક સુખના કારણે અલ્પ એવી શરીરની પીડાનો પ્રતિરોધ થાય છે અર્થાત્ શરીરની પીડા, પીડારૂપે જણાતી નથી. આ જ વિષયમાં શ્રી અષ્ટપ્રકરણમાં ફરમાવ્યું છે. “મન, ઈન્દ્રિયો અને સંયમના યોગોની હાનિ અહીં (તપમાં) થતી નથી, તો કઈ રીતે આ તપની દુઃખરૂપતા વર્ણવાય છે. ? અનશનાદિ તપને લઈને જે કોઈ વાર કાયપીડા થાય છે, તે રોગની ચિકિત્સા વખતની પીડાની જેમ ઈષ્ટ એવા ફળ(નિર્જરાદિ)ની સિદ્ધિના કારણે ફળની પ્રત્યે બાધક બનતી નથી. ઈષ્ટ અર્થની સિદ્ધિ થતી હોય તો કાયાની પીડા દુ:ખને આપનારી બનતી નથી. એ લોકમાં પ્રત્યક્ષસિદ્ધ છે. રત્નોનો વ્યાપાર કરનારા વ્યાપારીના દષ્ટાંતથી અહીં પણ એ રીતે વિચારવું જોઈએ.
તેમ જ જ્ઞાન, શમ, સંવેગ અને બ્રહ્મચર્યની ગુમિ વગેરેના સંબંધવાળો તપ, ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમથી થાય છે. તેથી તે ઔદયિકભાવથી થયેલો ન હોવાથી અનાદર કરવા યોગ્ય નથી. શ્રી
RE: