________________
“પકવવામાં આવતી કાચી કે પાકી માંસપેશીઓમાં સર્વથા નિગોદના જીવોની ઉત્પત્તિ થાય છે એ પ્રમાણે શ્રી જિનેશ્વરદેવોએ આગમમાં વર્ણવ્યું છે.” આ પ્રમાણે છઠ્ઠી શ્લોકનો અર્થ છે-એ અર્થને જણાવનારી મામાણુ ય પાસુ ય વિપત્રમાણુ સંસપેસીપુ સાયંતિ મુવવામા મસિ મનિનોમનવા... આ ગાથા છે. પકાવાતી કાચી કે પાકી માંસપેશીઓમાં નિગોદ જીવોની આત્યનિક ઉત્પત્તિ જણાવી છે.- આ પ્રમાણે ગાથાનો અર્થ સ્પષ્ટ છે. //૭-૬
તમારા આગમમાં (શ્રી જિનાગમમાં) કોઈ સ્થાને માંસની ભસ્યતા જણાવી છે. તેથી પૂર્વાપરનો વિરોધ આવે છે-આ શંકાના સમાધાન માટે જણાવાય છે –
सूत्राणि कानिचिच्छेदोपभोगादिपराणि तु । મઘમાંસાશિત રીતે પ્રસિથયા છ-છો
શ્રી જિનાગમમાં કોઈ સ્થાને માંસના વિષયમાં જે સૂત્રો આવે છે કે કેટલાંક છેદસૂત્રમાં જણાવેલાં પ્રાયશ્ચિત્ત સંબંધી છે, કેટલાંક બાહ્યપરિભોગ (ઉપયોગ) સંબંધી છે અને કેટલાંક અત્યંત અપવાદના વિષય છે. તેથી જૈન સાધુઓ મઘ અને માંસને વાપરતા નથી.’ આ પ્રસિદ્ધિથી તે હણાતાં નથી અર્થાત્ તેનો વિરોધ આવતો નથી-આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે શ્રી જિનાગમનાં તે તે સૂત્રો ઉપર જણાવ્યા મુજબ છેદસૂત્રમાં જણાવેલા પ્રાયશ્ચિત્તના ઉપાયભૂત અર્થવિશેષને જણાવનારાં તેમ જ બાહ્ય ઉપચારપરક અને અત્યંત અપવાદના વિષયને જણાવનારાં છે. એ
:::::::: કાર તક