SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. સમાધાન :- જ્યારે ર ં ૪ (૨-૨-૧૯) સૂત્રમાં સૂત્રદ્રયનું આરોપણ કરેલું ન હતું, ત્યારે સ્પર્ધા હતી. જ્યારે તેમાં સૂયનું આરોપણ કરાયું, ત્યારે આ બે સંજ્ઞાઓ પોતપોતાના (સ્વ - સ્વ) સૂત્રમાં નિષ્ઠ હોવાથી સ્પર્ધાની નિવૃત્તિ થઈ જાય છે. એક જ (મોટા ઓરડાવાળા) ઘરની વચ્ચે ભીંત ઉભી કરવા દ્વારા તેને ગૃદ્ધયરૂપે કરવામાં જેમ તેમાં રહેતી બે શોક્યો (સપત્ની) વચ્ચે એક સ્પર્ધા રહેતી નથી. અર્થાત્ બન્નેયના ઘરનું વિભાજન થઈ જવાથી બીજાને બાધા હોંચાડવાનું બંધ થઈ જાય છે. તેમ પ્રસ્તુતમાં પણ પ્રથમ વ્યાખ્યાન દ્વારા કર્મ સંજ્ઞાનું વિધાન અને દ્વિતીય વ્યાખ્યાન દ્વારા કરણ સંજ્ઞાનું વિધાન કરવાથી સ્પર્ધા રહેતી નથી. અન્યથા = ઉક્ત રીતે સ્પર્ધાની નિવૃત્તિ દ્વારા બેય પ્રયોગની ઉપપત્તિ સિદ્ધિ ન સ્વીકારાય, તો જરાં ચ (૨-૨-૧૯) સૂત્રને વિષે બે સૂત્ર રૂપે આરોપણ કરવાનો જે પ્રયત્ન કરેલો છે, તે વ્યર્થ બની જવાની આપત્તિ આવે. માટે પૂર્વોક્ત રીતે સ્પર્ધાની નિવૃત્તિ માનવી જોઈએ. અને આ રીતે સ્પર્ધાની નિવૃત્તિ થયે કોણ કોનો બાધ કરે ? અર્થાત્ કોઈ કોઈનો બાધ ન કરે. આથી અહિ આ પ્રમાણે તત્ત્વ (તાત્પર્ય) છે - નં ૬ (૨-૨-૧૯) સૂત્રવડે કર્મ' અને કરણ એમ બે સંજ્ઞાઓનું વિધાન ક્ષેર્રેવયતે મૈત્રÅÀળ । વગેરે પ્રયોગોમાં સફળ છે. તેથી અક્ષાન્ અક્ષર્વા રીતિ । વગેરે પ્રયોગોમાં પૂર્વોક્ત યુક્તિથી (સ્વતૢ પર: - ન્યાયથી પર એવી કરણસંજ્ઞાહેતુક) તૃતીયા જ પ્રાપ્ત થાય છે. અને પ્રયોગ તો દ્વિતીયાનો પણ દેખાય છે. આથી તેના સમર્થન માટે પ્રતિષ્ઠાર્ય સંજ્ઞા મિદ્યન્તે - એવા ન્યાયના બળને લઈને એક જ રણં ચ (૨-૨-૧૯) સૂત્રનું જુદું જુદું વ્યાખ્યાન (દ્વય) કરવા દ્વારા તેમાં સૂદ્રય સ્વરૂપનું આરોપણ કરીને તેના પ્રથમ સૂત્ર વડે દ્વિતીયા વિભક્તિ પણ લગાડાય છે. - પરંતુ આ ‘પ્રતિષ્ઠાર્ય સંજ્ઞા મિદ્યન્ત' એ ન્યાયવડે પણ પૂર્વોક્ત રીતે રળ ૪ (૨-૨-૧૯) સૂત્રની જુદી જુદી બે વ્યાખ્યા કરવા પૂર્વક બે સૂત્રો રૂપે આરોપણ કરવાના સામર્થ્યથી (બળથી) ઉભય સંજ્ઞા વચ્ચે સ્પર્ધાના અભાવનું ઉદ્દ્ભાવન કરેલું છે અને તે દ્વારા કર્મ સંજ્ઞાની કરણ સંજ્ઞાવડે અબાધાનું વ્યવસ્થાપન કરતાં પ્રતિાર્યું ૰ આ ન્યાય વડે સંજ્ઞા ન સંશાન્તરવાધિજા । એ પ્રસ્તુત ન્યાયના અર્થને જ અન્ય રીતે સમર્થિત કરેલો છે. (અર્થાત્ બે સંજ્ઞા વચ્ચે બાધ્ય - બાધકભાવનો નિષેધ જ જુદી રીતે કરેલો છે.) આથી પ્રતિાર્યું ન્યાયને પ્રકૃતન્યાયથી જુદો દર્શાવ્યો નથી. (૨/૨૭) સ્વોપજ્ઞ ન્યાસ ૧. ર ં = (૨-૨-૧૯) સૂત્રના ન્યાસમાં પ્રતિજાર્ય સંજ્ઞા મદ્યન્તે । એ ન્યાયની વ્યાખ્યા અ પ્રમાણે (ટીકામાં કહ્યા પ્રમાણે) કરેલી છે, માટે, અમે પણ એ જ વ્યાખ્યા વિચારીને દર્શાવી. સરળ મા તો બીજી પણ વ્યાખ્યા થઈ શકે છે. તે આ પ્રમાણે - 'વૃક્ષ પ્રતિ વિદ્યોતતે વિદ્યુત્' આની જેમ (અર્થાત્ અહિં જેમ લક્ષળવીત્સ્યેન્થપૂતેમિના (૨-૨-૩૬) સૂત્રથી લક્ષણ અર્થમાં પ્રતિ શબ્દ છે, તેમ) અહિં પણ પ્રતિ શબ્દ લક્ષણ' અર્થમાં લેવો. આથી પ્રતિાર્યું એ ન્યાયનો આવો અર્થ થશે કે - કાર્યને લક્ષ્ય બનાવીને (અનુલક્ષીને) ૩૭૬
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy