________________
ઉપચાર સારો થાય. રાગાદિને આધીન થઈને વર્તવાના કારણે આજે બહુમાનથી દૂર રહ્યા છીએ. ગુરુ તો શિષ્યનું ધ્યાન રાખે પણ શિષ્ય ગુરુનું માનવાનું ધ્યાન રાખવાનું ગુરુને કહ્યા વગર ખાવા, પીવા, ઊંઘવા, વાતો કરવા, પ્રતિબોધવા બેસી જાય-તેના ચાલે. તરવા માટે આવેલાએ ઉપદેશની પ્રવૃત્તિથી દૂર રહેવું. પોતાનાં પાપ ટાળવા આવેલા બીજાનાં પાપને દૂર કરવા બેસે-એ લક્ષણ સારાં નથી. અવિરતિધરનો પરિચય સાધુ ન કરે. અવિરતિધરનો પરિચય કરે તેની વિરતિ જોખમમાં મુકાયા વગર ન રહે. આજે સાધુસાધ્વી મનની વાત ગુરુને કરે કે ભગતને કરે ? સંયમની અરતિ દૂર કરવાનું કામ ગુરુ કરે કે ભગત કરે ? પડતાને પકડવાનું કામ મજબૂત માણસ કરે કે કાચોપોચો? માંદગીની સારવાર માટે જેમ ડોક્ટર પાસે જાઓ તેમ સંયમની અરતિ ટાળવાનું કામ ગુરુભગવન્તને સોંપવું. ગુરુભગવન્ત આપણી નાડ પણ જાણે અને શાસ્ત્રીય ઉપાય પણ જાણે તેથી ધાર્યું પરિણામ આવે. આચાર્યભગવન્ત પતનાભિમુખ સાધુને જે રીતે હિતશિક્ષા આપે તે અહીં શ્રી રામતીજીના દષ્ટાંતથી જણાવી છે. દિલ્થ તેડનોકામી આ પ્રમાણે અહીં ‘મ'કારનો પ્રશ્લેષ સમજીને હે અપયશની ઈચ્છાવાળા તને ધિક્કાર થાઓ. આવો પણ અર્થ થાય છે. આવા કઠોર વચન કોણ બોલે છે? શ્રી રાજીમતીજી સતી ! અને કોને કહે છે ? શ્રી નેમનાથ ભગવાનના સગા ભાઈને ! આવું બોલાય?
સ. માર્ગે લાવવા માટે કહેવું પડે.
હવે તમને જો કઠોર શબ્દમાં કહું ને તમે ના પાડશો કે આ રીતે ન બોલાય તો એમ સમજી લઉં ને કે તમારે માર્ગે આવવું નથી? દુષ્ટ અવને માર્ગે ચલાવવા માટે ચાબૂક પણ મારવી પડે ને ? ઢાળ ઉપર ગાડી ઊભી રાખવી હોય તો પથ્થર મૂકવા પડે ને? આજે ગુરુભગવન્ત જો આવા શબ્દોમાં કહે તો શું લાગે ? હૈયામાંથી સ્થાન જતું રહ્યું છે – એવું લાગે ને ? એમને આપણી કશી પડી નથી – એવું લાગે ને? ગુરુભગવન્ત કેવા શબ્દોમાં બોલે છે – એવો વિચાર કરીએ છીએ માટે અનુશાસન આકરું લાગે છે. એના બદલે આવું ક્યા કારણસર બોલે છે – એવો વિચાર કરીએ તો આકરું ન લાગે. સ્ત્રીનું સેવન કરવાનો અભિલાષ એ નરકમાં લઈ જનાર અભિલાષ છે. આથી જ સ્ત્રીની ઈચ્છા કરવી તે અપયશની ઈચ્છા કરવા સ્વરૂપ છે. માટે અહીં એવું સંબોધન કર્યું છે. ગમે તેટલા ભોગપ્રિય હોય તોપણ અપયશપ્રિય બનવાની જરૂર નથી. જરૂર પડે તો તે માટે ભોગનો ત્યાગ કરવો છે. ભોગની ઈચ્છા જાગ્યા પછી પણ યશની ઈચ્છા જો પડી હોય તો ભોગોની પ્રાર્થના ન કરે. જે
(૧૨૬)