SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ પાડે ત્યારે મારા પર વિશ્વાસ નથી – એવું વિચારવાના બદલે, ‘ગુરુભગવન્ત કહે તે રીતે તમારે પણ જીવવાનું અને મારે પણ જીવવાનું' એમ કહીને સહવર્તીનો સંપર્ક ટાળવા પ્રયત્ન કરે તો સમજવું કે ગુરુભગવન્ત પ્રત્યે બહુમાન છે. ગુરુના હૈયામાં સ્થાન મેળવવા માટે મહેનત કરવી તે રાગ અને ગુરુને હૈયામાં પધરાવવા તેનું નામ બહુમાન. ગુરુની પાસે ને પાસે રહેવાનું મન કરાવે તે રાગ અને ગુરુની આજ્ઞામાં રહેવાનું મન થાય તે બહુમાન. બહુમાન એકતરફી નમન કરાવે જ્યારે રાગ સામાને નમાવે. બહુમાનમાં પૂજ્યભાવ પ્રગટે, રાગમાં પૂજ્યભાવ લગભગ હોય નહિ, હોય તો ય જાય. રાગમાં ગુરુ મને સમજે એવી અપેક્ષા હોય છે જ્યારે બહુમાનમાં ગુરુની વાત સમજવા માટેનો પ્રયત્ન ચાલુ હોય. જ્યાં સુધી રાગ અને બહુમાન વચ્ચેનો ફરક નહિ સમજાય ત્યાં સુધી અનુશાસન ઝીલવાની યોગ્યતા નહિ આવે. કઠોરમાં કઠોર અનુશાસન પણ લાયકનું કરાય. ચિકિત્સા પણ કોની કરાય ? અસાધ્યરોગીની નહિ ને ? રાગ અને બહુમાનના ભેદને જે સમજે તેનામાં યોગ્યતા પ્રગટવા માંડે. અને યોગ્યને કઠોર પણ અનુશાસન કોમળ લાગે. ગુરુ અનુશાસન કરે તો કઠોર લાગે, ‘કહે તો વાંધો નહિ, કઠોરતાથી ન કહેવું જોઇએ’, ‘એકાન્તમાં કહે તો વાંધો નહિ, ચાર માણસની વચ્ચે ન કહેવું જોઇએ'... આવું આવું બોલાય તે બહુમાનના અભાવને સૂચવે છે. રાગ મારીને દીક્ષા લેવાની હતી તેના બદલે દીક્ષા લઈને રાગ કરવા બેસે, રાગની અપેક્ષા રાખે તો હવે દર્દી અસાધ્ય થઇ ગયો છે – એમ માનવું પડે ને ? અનુશાસન કેમ નથી ગમતું ? રાગ જોઇએ છે, બહુમાન નથી જોઇતું; પુણ્યોદય જોઇએ છે, હિત નથી જોઇતું માટે જ ને ? આજના મુમુક્ષુઓ દીક્ષા લેતી વખતે ગુરુ પસંદ કરે છે, પણ આજ્ઞા પસંદ નથી કરતા. ગુરુ ગમે એ બરાબર નહિ, આજ્ઞાં ગમવી જોઇએ. ગુરુના રાગથી દીક્ષા લે તે મોહગર્ભિત વૈરાગ્ય છે. દીક્ષાના રાગથી, આજ્ઞાના રાગથી જે દીક્ષા થાય તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહેવાય. સ. રાગ બહુમાનની ભૂમિકા પર લાવે ને ? ય અનાજનો ભંડાર એ જમણવારની ભૂમિકા છે તો ત્યાં જઇને બેસો ? અનાજ ખાવા કામ લાગે કે એ ભોજનમાં પરિણમે તો કામ લાગે. તેવી રીતે રાગ કામ ન લાગે, રાગ બહુમાનમાં પરિણમે તો કામ લાગે. આજે તમને રાગે ય ક્યાં કરતાં આવડે છે ? રાગ પણ સાચો હોય તો તેને બહુમાનમાં પરિણામ પામતાં વાર ન લાગે. આજે તો રાગ પણ બનાવટી છે, સ્વાર્થમૂલક છે. ગુરુભગવન્ત બધી ભૂલો ચલાવી લે તો ગમે અને બે શબ્દ કડક કહે તો મોઢું બગડી જાય, બીજી વાર પગ મૂકવા રાજી ન હોય (૧૨૪)
SR No.005712
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy