________________
કારણે જ તો છે. આથી એના નિરાકરણમાં જણાવે છે કે – અનુકૂળ વિષયોના ત્યાગથી દુઃખોને અંત આવે છે. શબ્દાદિ વિષયો દુઃખનું જ કારણ હોવાથી દુ:ખરૂપ છે. વિષયોનું અતિક્રમણ જે કરે છે અર્થા વિષયોને જે ઓળંગી ગયો છે તે દુઃખોને ? જ ઓળંગી ગયો છે. જે વિષયોમાં પડ્યો તે દુઃખમાં પડ્યો - એમ સમજી લેવું. વિષયોથી દુઃખ આવે છે. વિષયો જાય તો કારણ જવાથી કાર્ય-દુઃખ પણ જતું રહે છે. કામ એ દુઃખનું પ્રભવસ્થાન (ઉત્પત્તિનું સ્થાન) છે. અનુકૂળ વિષયોની પ્રાપ્તિ એ દુઃખની ઉત્પત્તિનું સ્થાન છે – એવું લાગે છે ? કે સુખનું સાધન લાગે છે ? વિષયોની આસક્તિ જ દુઃખનું કારણ છે – એ સમજવાનું જ ખરેખર તો અઘરું છે. જે દિવસે આપણને એ સમજાશે તે દિવસે આપણને આ સંસારમાં કોઈ રાખનાર નથી. અનન્તજ્ઞાનીઓએ દુઃખને કામપ્રભવ (વિષયોની ઈચ્છાથી ઉત્પન્ન થનાર) વર્ણવ્યું છે. જ્યારે આપણે કામના અભાવમાં દુઃખ માનીએ છીએ. તદ્દન જ વિરુદ્ધ કોટિની એ માન્યતા છે ને? એ માન્યતા ફરે નહિ ત્યાં સુધી આપણે આપણા હિતને સાધી શકીશું નહિ. વિષયો દુઃખનું કારણ છે કે વર્તમાનમાં દુઃખ ટાળીને સુખ આપનાર
છે?
સ. વર્તમાનમાં વિષય મળે તો આનંદ થાય ને?
એ આનંદ વસ્તુના ભોગવટાનો નથી, ઇચ્છાની પૂર્તિનો આનંદ છે. વિષયના ભોગમાં સુખ છે જ નહિ. જો ઇચ્છાની ક્ષણિક પણ તૃપ્તિ ન થાય તો વિષયનો ભોગ હોવા છતાં આનંદનો અનુભવ નથી થતો : આ વસ્તુ તો અનુભવસિદ્ધ છે ને ? આ ઈચ્છાપૂર્તિનું સુખ પણ ત્યાં સુધી છે કે જ્યાં સુધી બીજી ઈચ્છા ઊભી ન થાય. એટલે વસ્તુતઃ વિષયના ભોગમાં પણ સુખ નથી અને ઈચ્છાની પૂર્તિમાં પણ સુખ નથી. સુખ માત્ર ઈચ્છાના અભાવમાં છે. સુખની ઈચ્છાને આધીન થઈને જે પ્રવૃત્તિ કરાય છે તે મોહજન્ય પ્રવૃત્તિ છે જ્યારે ઈચ્છાની ઉપરવટ થઈને, ઈચ્છાનો નિરોધ કરીને જે પ્રવૃત્તિ કરાય છે તે મોહના ક્ષયોપશમજન્ય પ્રવૃત્તિ કહેવાય. તેવા પ્રકારનું વિશિષ્ટ કોટિનું તથાભવ્યત્વ હોય તો વાત જુદી. બાકી તો અનુકૂળતાનું અર્થપણું દુઃખી બનાવે, બનાવે ને બનાવે જ. કામના ભોગવટાથી અસમાધિ વધે છે અને દુઃખને ભોગવી લેવાથી સમાધિ મળે છે. પુણ્યના ઉદયથી મળેલું સુખ પણ ભોગવવા જેવું નથી – એવું આચાર્યભગવન્ત કહેતા હતા તે આ આશયથી જ કહેતા હતા. પુણ્યથી મળેલું સુખ ભોગવવા બેસીએ તો દુઃખ આવે છે. આમ છતાં આજે આપણે સુખ ભોગવવા અને દુઃખ ટાળવા માટે જ રાતદિવસ મથીએ છીએ તેનું કારણ સુખ
(૧૧૨)