SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ એક ગુણ છે. એ સમ્યગદર્શનની નિર્મલતા એ જ ખરેખર આત્માની નિમલતા છે. જેમ દેહને નિર્મલ કરવા માટે અનેકવાર જલસ્તાન કરવું પડે છે તેમ આત્માને નિર્મલ કરવા માટે અને નિર્મલ રાખવા માટે પ્રત્યેક ભાવુકે અનેકવાર “તીર્થયાત્રા અવશ્ય કરવી જોઈએ. તીર્થયાત્રાથી પ્રાપ્ત થતાં અગીયાર ફળે પિકી એ ચોથું ફળ છે. પ. પ્રણજિનહિત-એટલે વજન નેહિજનું હિત. તીર્થયાત્રા બની શકે ત્યાં સુધી પોતાના કુટુંબીજનોને સાથે લઈને કરવી. શક્તિ હોય તે નેહીજનેને-સાધર્મિક બધુઓને સાથે રાખીને તીર્થયાત્રા કરવી, સ્થિતિસંપન્ન શક્તિશાળી સમર્થ પુરુષએ તે શાસન પ્રભાવના પૂર્વક મોટા સંઘ કાઢીને તીર્થયાત્રા કરવી. આમ કરવાથી તીર્થ યાત્રામાં સાથે આવેલા કુટુમ્બીજને અને સાધર્મિક બધુઓ પણ તીર્થયાત્રાના પ્રભાવથી સમ્યગદર્શન, વ્રતનિયમ, ધમ. શ્રદ્ધા વગેરે ગુણેને પામે છે. તેથી તેઓનું પારમાર્થિક હિત થાય છે. તીર્થયાત્રાથી પ્રાપ્ત થતા અગીયાર ફળે પૈકી એ પાંચમું ફળ છે. ૬. જીર્ણચંત્યાદિ કૃત્ય—એટલે છ જિનમંદિર વગેરેના કાર્ય. તીર્થયાત્રા કરવા નીકળેલ સંઘ, સંઘપતિ આદિ યાત્રિકોને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005670
Book TitleTirth Yatra Sanghni Mahatta
Original Sutra AuthorN/A
AuthorVijaysushilsuri
PublisherGyanopasak Samiti
Publication Year1974
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy