SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] (૧) એકાહારી-એક ટક ભજન. તીર્થયાત્રા કરનાર યાત્રિકે પ્રતિદિન એામાં ઓછું એકાશન એટલે એકાસણાનું તપ કરવું જોઈએ. તીર્થયાત્રામાં ત્રણ ટંક-અધિક ટંક ભોજન કરવું એ ઉચિત નથી. તેમાં તે યાત્રિકને આહારત્યાગની ભાવનાએ જ રહેવાનું હોય છે. આહારસંશા પર કાબૂ રાખી વિજય મેળવવાનો હોય છે. જે યાત્રિકે એકાસણું આદિ તપ પણ કરી શકતા ન હેય તેમણે સવારે નમુક્કારસહિઅંનું પચ્ચખાણ અને સાંજે અશન-પાન-ખાદિમ-વાદિમ એ ચાર આહારના ત્યાગરૂપ ચઉવિહારનું પચ્ચક્ખાણ અવશ્ય કરવું જોઈએ. વળી તીર્થયાત્રામાં અકથ્ય અને અભક્ષ્ય વસ્તુને તે સર્વથા ત્યાગ કરે જોઈએ. તેમ જ રાત્રિભેજનને જીવનભર તિલાંજલિ દેવી જોઈએ. તીર્થયાત્રામાં તે કદી પણ શત્રિભેજન કરાય જ નહીં એમ સમજી રાખવું જોઈએ. છ-રી” પૈકી આ એકાહારી પહેલી ફી છે. (૨) ભૂમિસંથારકારી (ભૂમિ-ભૂશયનકારી) એટલે ભૂમિ-જમીન પર સંથારે ક. અર્થાત્ તીર્થયાત્રા કરનાર યાત્રિકે ભૂમિ-જમીન પર ઉનનું સંથારિયું પાથરી અને ઉપર ચાદર નાખી સૂઈ રહેવું જોઈએ, તીર્થયાત્રામાં પલંગ, ગાદલા, ગેઇડા, મુલાયમ ગાદીએ કે સુંવાળી રજાઈઓ વગેરે વાપરવા ન જોઈએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005670
Book TitleTirth Yatra Sanghni Mahatta
Original Sutra AuthorN/A
AuthorVijaysushilsuri
PublisherGyanopasak Samiti
Publication Year1974
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy