________________
પ્રકાશકીયા પૂજય સરળસ્વભાવી તપસ્વીરત્ન ઉપાધ્યાય શ્રીભુવનાનંદવિજયજી મહારાજ દ્વારા સંકલિત કરાયેલ “પરમ મંગલકારી અઢાર અભિષેકનું પ્રકાશન કરતાં અમને સૌભાગ્યની અનુભૂતિ થઈ રહી છે.
આ નાની પુસ્તિકામાં આપણાં જિનમંદિરોમાં વિવિધ પ્રસંગોએ કરાતા અઢાર અભિષેકના વિધાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. પૂજ્યપાદ ઉપાધ્યાયશ્રીના મનમાં આ પુસ્તિકા તૈયાર કરવાની ભાવના જાગી, જેને પૂજ્યપાદ યોગદિવાકર ગુરુદેવશ્રીના મંગળ આશીર્વાદ પ્રાપ્ત થયા. સાથોસાથ પૂજ્યપાદ ઉપાધ્યાયપ્રવરશ્રીની શુભ પ્રેરણાથી લાભ લેનાર પુણ્યવાનોનાં નામો પણ તરત જ નોંધાઈ ગયાં.
આમાં પ્રકાશિત થયેલી સામગ્રી સકલ સંઘને ઉપયોગી બને તેવી છે. વળી આનો આકાર પ્રતને બદલે પુસ્તક સ્વરૂપ રાખેલ હોવાથી પૂજય ગુરુદેવોને તથા માનનીય વિધિકારોને આ નાની પુસ્તિકા સાથે રાખવી અનુકૂળ પડે તેમ છે.
સંપાદન અને સ્વચ્છતાની દૃષ્ટિએ સુંદર રીતે તૈયાર થયેલ આ પુસ્તિકા શ્રીસંઘના દરેક વર્ગ પસંદ પડશે એવી આશા છે.
પૂજ્ય યોગદિવાકર આચાર્ય ભગવંતના આશીર્વાદથી આ સંસ્થાને ભવિષ્યમાં પણ આવાં સુંદર અને ધર્મોપયોગી પુસ્તકો તૈયાર કરીને શ્રીસંઘને ચરણે ધરવાનો સુઅવસર મળ્યા કરે એ જ શુભેચ્છા.
પૂજ્ય ઉપાધ્યાય શ્રી ભુવનાનંદવિજયજી મહારાજે આ પુસ્તિકા પ્રકાશિત કરવાનો અવસર અમને આપ્યો એ બદલ તેમનાં ચરણોમાં વંદન પાઠવીએ છીએ.
નિવેદકો : શ્રીપાર્થ-પદ્માવતી તીર્થના કાર્યવાહકો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org