________________
Tી
'
કર્તવ્ય, પર્યુષણ દરમિયાન ૫ કર્તવ્ય, પણ પં. શ્રી અજિતશેખર વિ.મ.સા. લખેલ વ્યાખ્યાનમાં આ બધામાં પણ ઘણું જાણવા મળ્યું જેમ કે જીવદયાના વ્યાખ્યાનમાં આપણી બોલવાની ભાષા પણ કાતિલ છે. હિંસક શબ્દો મોબાઇલ મારીશ, રીંગ મારીશ, બે કામ સાથે કર્યા હોય તો એક કાંકરે બે પંખી માર્યા, એક તીરદો નિશાન એમ ન બોલવું.
અમારા બેન પણ ધર્મનું ભણાવતાં ઘણું બધુ જ્ઞાન આપતા, પોતાની પાસે રહેલ જ્ઞાન અમને પણ આપતા, જેની જાણકારી નહોતી એવું પણ ઘણું જાણવા મળ્યું.
મેં ચાલો પાઠશાળા જઈએ ની પરીક્ષા આપવાનું વિચાર્યું. એમાં તો ઘણું જ જાણવા મળ્યું જેમ કે પ્રતિક્રમણ ક્રિયા કરીએ છીએ તો શા માટે ? તેમાં આવતા સૂત્રો કયા પછી ક્યું બોલાય ને શા માટે આટલા દિવસ કરવા ખાતર પ્રતિક્રમણ થતું પણ હવે તેમાં આવતા સૂત્રોનું કારણ અને તેવો ભાવ પણ આવશે. જેમ કે પરચકખાણ આવશ્યક છેલ્લું આવશ્યક હોવા છતાં પહેલા કેમ લેવાય, પ્રતિક્રમણ આવશ્યકમાં વંદિતુ પહેલા નવકાર, કરેમિભંતે આદિ શા માટે ? વંદિતુ પછી બે દ્વાદશાવર્ત વંદન શા માટે ? એવું તો ઘણું બધું મને જાણવા મળ્યું. ભણવાની, નવું જાણવાની બહુ મજા આવી. | ડિસેમ્બરમાં ગર્ભસંસ્કારણ કેન્દ્ર પર ગઈ. ડૉ. અભયભાઈને મળી. તેમની પાસે ગર્ભસંસ્કારનું ઘણું જાણવા મળ્યું. ત્યાં ગયા પછી પણ ઘણું બધું પરિવર્તન થયું. અભયભાઈને કેટલું બધું ધર્મનું જ્ઞાન છે. આ ગ્રંથના આ અધ્યાયમાં આ લખેલું છે. એટલે સુધી બધું કહી શકતા. એ જોઈને બહુ Impress થઈ ગઈ તેમને મળ્યા પછી સૌ પ્રથમ તો મારું 'ટી.વી. જોવાનું અને હોટલમાં ખાવાનું બંધ થયું.Sudoku puzzle solve કરવાનું શરૂ કર્યું.
તેમણે મને મહત્ત્વની પ્રાર્થના આપીપ્રભુ, મને મનોહર રૂપગુણવંત સંતાન પ્રાપ્ત થાઓ.”
EB EFE
anon International
For Personal & Private Use Only
WWW
૧૩૬