SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ શકે.આમ વિચારી તેઓ પોતાના ગુરૂભાઇના ચરણોમાં નમી પડે છે અને પ્રેમપૂર્વક ભેટે છે. સમગ્ર પ્રજા આ પ્રસંગ ને વધાવી લે છે.હવે તાનસેન બૈજુને વિનંતી કરે છે કે કૃપા કરીને મને એ જણાવો કે આ રાગ કયો હતો? બૈજુ પ્રેમ પૂર્વક તાનસેનને કહે છે કે આ બીજો કોઇ રાગ નહી પણ સર્વરાગોમાં પ્રથમ, સર્વ રાગોનો શિરોમણિ, સર્વને પ્રિય,સર્વ જનને પ્રશંસનીય,સર્વલોકમાં પ્રસિદ્ધ એવો આ માલકૌંસ રાગ છે. આ સાથે બધા જ બેજુ તથા તાનસેનનો જય જયકાર બોલાવે છે. વાચક મિત્રો,તમને જાણીને આશ્ચર્ય થશે કે તીર્થંકર પરમાત્મા - સમવસરણમાં દેશના માલકૌંસ રાગમાં જ આપે છે.જો એક રાગથી જડ એવો પથ્થર પણ પીગળી શકે તો ચેતન એવા આપણા કર્મો પરમાત્મા દ્વારા તુટે તેમાં શું નવાઇ? અર્થાત અવશ્યથી તુટે જ છે. તેથી જ અમે અમારા પ્રતિભાગીઓને નવકારમંત્રની નવરાગની સી.ડી આપીએ છીએ જેથી માતા અને બાળક આ બન્ને પર આની અવર્ણનીય અસર થાય છે. આસવરી રાગમાં સાતે સાત સૂરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બધા જ સૂરો પ્રાણી તથા પક્ષીઓના ધ્વનિમાંથી લેવામાં આવ્યું છે. રાગોનું દિવસના જે વિવિધ પ્રહરો પડે છે તેનાથી જોડાયેલું છે તેથી દિવસ આખામાં ક્યારે અને કયો રાગ સાંભળવો તે પણ જાણવું જરૂરી છે. આખા દિવસમાં અમુક ભાગમાં અમુક ભાવો વિશેષ હોય છે જેની સીધી અસર મન સાથે હોય છે. આમ સંગીત ચિકિત્સા વહેલી સવારે, સાંજે અથવા રાત્રે ગોઠવવી. ૧ કલાકથી વધુ સંગીત વગાડવું નહીં. ભારતીય શાસ્ત્રીય સંગીતમાં એવું વૈશિસ્ય છે કે રાગોને નક્કી કરેલા સમયે જો વગાડવામાં આવે તો તે રાગની અસર ચરમસીમા પર હોય છે. અમુક રાગ સવારે અસર કરે તો કોઈક સાંજે, તો કોઈક રાત્રીએ આપણા શરીરમાં દિવસના ભાગો પ્રમાણે ફેરફાર થતા હોય છે તે જ પ્રમાણે મનમાં પણ ફેરફાર થતા હોય છે. જો તે પ્રમાણે રાગો, qણ કરવામાં આવે - ત્ત - ધિનાશક બની Hઝle LLLLLLLLL TITUT ના International For Personal & Private Use Only www.jaine ૧૨૧.
SR No.005657
Book TitleSanskar Shakti
Original Sutra AuthorN/A
AuthorSanskar Shakti Garbh Sanskaran Kendra
PublisherSanskar Shakti Garbh Sanskaran Kendra
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy