________________
સમીક્ષા - (૧) કલ્પસૂત્ર - ત્રિષષ્ટિ -ચઉપન્ન મહાપુરુષ ચરિયું આદિ ગ્રંથોમાં ઋષભદેવ થી મહાવીર સ્વામિ સુધી બધા તીર્થકરો ના જન્મ-જીવન-સમય આદિ બતાડવામાં આવ્યા છે તો પછી એમને કાલ્પનિક બતાવવાનો દુઃસાહસ કેમ? કોઇ પણ ધર્મ ના વિષયમાં ટિપ્પણ કરવાનો અધિકાર બીજાને હોઈ શકે જ નહીં
(૨) ભગવાન આદિનાથ અને નેમિનાથ નો ઉલ્લેખ વૈદિક ગ્રંથોમાં પણ છે.
(૩) મહાવીર સ્વામિ જૈન ધર્મના સ્થાપક નથી. એતો રિન્યુઅલના રૂપમાં શાસન સ્થાપના કરે છે. બધા તીર્થકર શાસન સ્થાપના કરે છે. (૩) યંગલીડર બીજી ઓક્ટોબરમાં છાપેલી ગૂજના અનુસાર :
બાલાજી ટેલી ફિલ્મના બનાવવાવાળા એકતા કપૂર દ્વારા નિર્દેશિત ધારાવાહિક “ક્યોંકિ સાસ ભી કભી બહુ થી..” સ્ટાર પ્લસ ચેનલમાં સોમવાર થી ગુરુવાર રાત્રે ૧૦.૩૦ વાગે તારીખ ૨૭ ડિસેમ્બર ૨૦૦૧ ગુરુવારના રક્ષા ચાચી અને ચિરાગના સંવાદમાં જેનોના મહાપવિત્ર તીર્થધામ પાલિતાણાને હનીમૂન પોઇન્ટ ના રૂપમાં દર્શાવવું અક્ષમ્ય અપરાધ છે.
૪) રાજસ્થાન હાઇકોર્ટના એક ફેસલાના સંદર્ભના રૂપમાં કહ્યું છે કે જૈન ધર્મ આદિનાથે નિકાળેલો નવો પંથ છે. આ ભ્રામક તથ્ય છે. કેમ કે હિન્દુઓ નો સહુથી પ્રાચીન ગ્રંથ વેદ છે એન એમાં પણ જૈનોના પ્રથમ તીર્થકર આદિનાથનો ઉલ્લેખ છે. આદિનાથ આ ચોવીશીના પ્રથમ તીર્થકર છે. આની પહેલા અનન્ત તીર્થકર થઇ ગયા છે. અને જૈન ધર્મને હિન્દુધર્મની શાખા બતાવવી પણ ઉચિત નથી, કેમકે હિન્દુ નામનો કોઇ ધર્મ નથી. રાજસ્થાન પત્રિકાના સંપાદક શ્રી કપુરચંદ કુલીશ ની યાચિકા પર સુપ્રીમ કોર્ટનો ફેસલો છે કે “હિન્દુત્વ એક જીવન શૈલી છે, સંસ્કૃતિ વાચક શબ્દ છે.”
૫) ભગવાન મહાવીરના જીવન પર “વિમલ ગુણોત” નામના કોઇ વ્યક્તિ દ્વારા ૧૦૪ એપીસોડ વાળી ટી.વી. સીરિયલ “જય ભગવાન મહાવીર” બનાવવામાં આવે છે. જેમાં ભગવાન મહાવીરનો રોલ “હમ તો મોહબ્બત કરેંગે” ના નિર્માતા આશિષ સિંહ કરશે એવું સાંભળવામાં આવ્યું છે. આનું ચારેકોરથી વિરોધ ચાલી રહ્યું છે. ભગવાન મહાવીરનું અલોકિક વ્યક્તિત્વ તુચ્છ વામન માનવ કરેં આ તીર્થકરોની ઘોર આશાતના છે. અંજનશલાકા આદિ પ્રસંગોમાં પણ મૂર્તિ જ સ્થાપિત થાય છે. પંચ લ્યાણકના
ગુડનાઈટ...૮૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org