________________
પક્ષાલ રોકી ન રખાય તેવું ખાસ બનતું હોય છે. માટે તેનું ખાસ ધ્યાન રાખવું ગભારામાં પક્ષાલના દૂહાક્ત મનમાં બોલી શકાય ગભારામાં કંઈપણ બોલવાથી આશાતના થાય છે. ગભારામાં પૂજાદરમિયાન કોઈપણ સ્તવન, રત્નાકરપચ્ચીસી
કે કોઈ સ્તુતિ બોલવી નહીં. ફક્ત પૂજા કરતાં નવ અંગના દૂહા મનમાં બોલવા ૫) દેરાસરમાં કોઈપણ એક પૂજારી રોજ માટે રાખવો જરૂરી છે. અગર દર ચાર છે
મહિને નવો પૂજારી આવે તો પૂજાવિધિ સચવાય નહીં. અજાણ્યા પૂજારીને ધાતુની પ્રતિમાને ફૂંડીમાં ડૂબાડીને લેતા જોયા છે. તો આવા પૂજારી કરતાં પ્રભુની પૂજા સુવ્યવસ્થિત કરી શકે તેવા કાયમી પૂજારીની વ્યવસ્થા કરવી જોઈએ. બને ત્યાં સુધી ભગવાનના અંગભૂંછણા શ્રાવક-શ્રાવિકા કે પૂજારીએ ધોવા જોઈએ. આ બધો જ વહીવટ સંઘના આચારયુક્ત ટ્રસ્ટીઓએ સંભાળવો જોઈએ. જેથી
તીર્થકર નામ કર્મ બંધાય ૭) ગભારામાં પ્રવેશ કરતાં પહેલાં પૂજા કરનારે અડધાનાકથી ઉપરઆઠપડનો મુખકોષ
બાંધીને પ્રવેશ કરવો જોઈએ. ઘણાં ભાઈ-બહેનો અને બાળકો ફક્ત મોઢા ઉપર જ
બાંધીને પૂજા કરતાં જોયા છે. આ અવિધિ છે. જેનાથી આશાતનાનો દોષ લાગે છે. ૮) પ્રભુ દર્શનમાં સ્તુતિ, ચૈત્યવંદન, સ્તવન એવા શાંતિથી કરવા કે બીજાને અંતરાય
ન પડે. ૯) પુરુષોએ ભગવાનની જમણી બાજુએ અને બહેનોએ ડાબી બાજુએ ઉભા રહીને
દર્શન પૂજા કરવી. ૧૦) પૂજાના વસ્ત્રોમાં ચપ્પલ પહેરી ન શકાય.
... ટ્રસ્ટી સંહિતા... ૧) ટ્રસ્ટ એટલે શ્રદ્ધા વિશ્વાસ જેના હૈયામાં પરમાત્મા ઉપર અટૂટ શ્રદ્ધા હોય એજ
ટ્રસ્ટી' કહેવાય. ૨) જે ટ્રસ્ટી “હું સંઘનો સેવક છું, મારા અહોભાગ્ય મને સંઘની સેવાનો લાભ મલ્યો
છે”....એમ સમજે એજ મહાન પુણ્ય મેળવી શકે.
ગુડનાઈટ... ૭૦ For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org