________________
• મુંબઇના એકભાઇને વરસોની ખજવાળની બિમારી રાત્રિભોજન ત્યાગ કરતાં
ની સાથે જે સારી થઇ ગઇ. • ડૉનું કહેવું છે કે ભોજન અને શયનની વચ્ચે ઓછામાં ઓછા ૩-૪ ક્લાક
નું અંતર હોવું જોઇએ. આયુર્વેદ કહે છે પેટ સૂર્યમુખી કમલ છે, જે બપોરે ૧૨ વાગે સંપૂર્ણ રૂપથી ખીલે છે અને સૂર્યાસ્તની સાથે બંધ થઇ જાય છે. આના પછી કાંઇ પણ ખાવામાં આવે તો તે પચતું નથી અને પેટની કાયમી બિમારિયો પેદા કરે છે. રાતે ખાધેલ ખોરાક બ્રહ્મચર્યને પણ બાધક છે. જૈનધર્મના અનુસારે - કેવલજ્ઞાની પણ રાત્રિભોજનના અનન્ત દોષોનું વર્ણન કરવામાં સક્ષમ નથી. વાતાવરણના અગણિત જીવોની હિંસાના કારણે રાત્રિભોજનને મહાપાપ માનવામાં આવ્યું છે. પ્રત્યેક વર્ણના અગણિત ત્રણ કાયના જીવ ઉત્પન્ન થાય છે. માટે રાત્રિભોજન માંસ સમાન અને પાણી પીવું ખૂન સમાન છે. યોગશાસ્ત્રના અનુસાર - રાતના ખાવાવાળો, શિંગડા - પૂંછ વગરનો પશુ છે. રાત્રિમાં ભૂત-પ્રેત આદિ અન્નને એઠું કરે છે. માટે સૂર્યાસ્ત પછી ન ખાવું
જોઇએ. • કેવલજ્ઞાનીને બધું જ દેખાય છે કે અહીં જીવ છે અહીં જીવ નથી, તો પણ એ
જીવોને જુદા કરી શક્તા નથી, તો પછી આપણે કેવી રીતે જાણીએ? રામાયણના અનુસારે :- વનમાલા લક્ષ્મણને કહે છે જો તમે મને ભૂલી ગયા
તો વિશ્વમાં રાત્રિભોજન કરનારને જેટલું પાપ લાગે છે, તેટલું પાપ લાગશે. • ચત્રિભોજનથી તત્કાલિક નુકશાન - જૂ આવે તો જલોદર થાય, કીડીથી
બુદ્ધિ મંદ થાય, માખીથી ઉલ્ટી થાય, કરોળિયાથી કોઢ થાય, વીંછીથી તાલ વિંધાય, ઝેરી જન્તુથી મરી જવાય. ઉત્તમ પશુ પક્ષી પણ રાતના ખાતા નથી. કબુતર, ચક્લી, કાગ, પોપટ, ગાય,
ભેંસ આદિ. • રાત્રિભોજનના ત્યાગથી ૧૫ ઉપવાસનો લાભ મળે છે. સૂર્યના પ્રકાશમાં
ગુડનાઈટ .. ૫૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org