SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૭) શાક અને ચટણીના મસાલાઓમાં પ્રાય: લસણ (Garlic) અને આદુ (Jinger) નાખેલ હોય છે. અનંતજીવોની આમાં હિંસા થાય છે. - ચા વિરુધ્ધ છાસ ૧) હજારો વર્ષોથી છાશ પીવાતી હતી પણ વિલાયતી ચા જવલ્લેજ વપરાતી. ચા થી હોજરી ખલાસ થાય ભૂખ મરી જાય વાઘ જેવો માણસ બકરી જેવો બની જાય એવાઘબકરી.! લાલ ઘોડા જેવો માણસ કાલો ઘોડો બની જાય છે. આયુર્વેદમાં કહ્યું છે, છાશ તો દેવો ને પણ દુર્લભ છે. નાતામાં ગોળની રાબ, થુલી જેવી વસ્તુઓનો વપરાશ હતો, બ્રેડ બટર પાઉં જેવા અભક્ષ્ય અને વિરુદ્ધાહાર ન્હોતા. ૨) ફૂટ સલાડ વિરુદ્રાકાર છે. એમાં અભક્ષ્ય કસ્ટર્ડ પાઉડર વપરાય છે. ૩) ગ્રીન સલાડથી કેન્સર થાય છે, એવું સાંભળવા મળ્યું છે. કાચું ખાવાનું જિનશાસનને માન્ય નથી. સ્ટેડિંગચિનના કારણે બેનોમાં પગની બિમારિયો વધી છે. જેટલું મોડર્ન બનવા જાય છે માણસ, એટલી જ પછડાટ ખાય છે. મોડર્ન બનવાની ઘેલછા છોડો. ૪) દ્વિદલ:- બાસ્કેટમાં મગ સેવ હોય છે, ઉપર કાચું દહીં ભભરાવે છે એ દ્વિદલ છે માટે અભક્ષ્ય. ૫) જમણમાં શીખંડ કર્યું. ખમણ ચોખાના, કડી ચોખાની, શાક દુધીનું, પરંતુ કડીમાં વધાર હતો મેથીનો, થઇ ગયું દ્વિદલ. દહીં ભાત જોડે અથાણું ખાય. અથાણામાં મેથીના કુરિયા હતાં. થઇ ગયું દ્વિદલ. હવે દ્વિદલની સૂક્ષ્મતામાં જઇએ. ઉત્પત્તિ અને નિકાલ. ૭) નિકાલ એટલે કઠોળના વાસણ અને દહીં-છાશના વાસણ સાથે ધોવામાં આવે તો પણ અપાર ત્રસ જીવોની હિંસા થાય છે. માટે દહીંના વાસણ જુદા સાફ કર્યા પછી તે પાણી ધૂળમાં પરઠવી દેવામાં આવે તો આ પાપથી બચી શકાય. પ્રશ્ન :અભક્ષ્ય ભોજનથી ભવાંતરમાં શું થાય ? ઉત્તર : અભક્ષ્ય ભોજનથી પાપ બંધાય, પાપથી દુર્ગતિમાં ભયંકર દુ:ખ વેઠવું પડે છે. ગુડનાઈટ.... ૪૫ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005647
Book TitleGood Night
Original Sutra AuthorN/A
AuthorRashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy