SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) પ્રદક્ષિણાનો અર્થ ૧) શ્રેષ્ઠ દક્ષિણા=મોક્ષ મેળવવા પ્રભુ તારી પાસે અમે આવ્યા છીએ. ૨) દક્ષિણ એટલે જમણો હાથ ભગવાનની જમણી બાજુથી જે અપાય એ પ્રદક્ષિણા રત્નત્રયીની આરાધના અને ભવ ભ્રમણને મટાડવા માટે પ્રદક્ષિણા અવશ્ય આપવી જોઇએ ? ૩) ત્રણ જગ્યાએ નિસહિ બોલવાની છે. • પ્રથમ નિસાહિ મુખ્ય દ્વાર ઉપર - સંસારની તમામ પાપપ્રવૃત્તિઓ અને વિચારણાઓને હું મન, વચન, કાયાથી નિષેધ કરું છું. દેરાસરની કાજો કાઢી શકાય, ૧૦૦ ઉપવાસનો લાભ મળે છે. • ત્રણ પ્રદક્ષિણા પૂરી થયા પછી પ્રભુના ગભારા પાસે બીજી વાર નિસીહિ. દેરાસરસંબંધી વાતોનો પણ ત્યાગ કરું છું. • ધૂપ, દીપ, સાથીયો બાદ અને ચૈત્યવંદન પહેલા ત્રીજી વાર નિસાહિ બોલવી - દ્રવ્યપૂજાનો ત્યાગ કરું છું. મુખ્ય દ્વાર ઉપર નિહિ બોલીને જઇએ ત્યારે શું શું કરવું? ભગવાનના સમવસરણમાં હું પહોંચી ગયો છું અને પ્રદક્ષિણા આપું છું. એવી ભાવના ભાવવી. જેમ સમવસરણમાં મૂળ ભગ. એક બાજુ હોય, ત્રણ દિશામાં એમની મૂર્તિ હોય, તેમ અહિં પણ મૂળનાયક એક દિશામાં, ત્રણ દિશામાં મંગલમૂર્તિ રાખેલ હોય, માટે પ્રદક્ષિણામાં જ્યાં ભગ ના દર્શન થાય “નમો જિણા” બોલવું. ૫) ત્યાર બાદ ભગવાનની જમણી સાઈડમાં પુરૂષો અને બહેનોએ ડાબી સાઇડમાં ઉભા રહીને દર્શન કરવા. પ્રભુ સ્તુતિગાવવાથી અતિશયપુણ્ય બંધાય છે. પંચાશકગ્રંથમાં કહ્યું છે કે આવડતી હોય તો ૧૦૮ સ્તુતિઓ દરરોજ ગાવવી. સ્તુતિ બોલતી વખતે બીજાને ખલેલ ન પહોંચાડો, ભક્તિમાં બીજાને અંતરાય ન પડે એ ધ્યાન રાખવું, એમાં પણ લાભ છે. પરમાત્માની આંખોને એકીટસે જોવાથી “ત્રાટક” થાય છે. ગુડનાઈટ... ૨૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005647
Book TitleGood Night
Original Sutra AuthorN/A
AuthorRashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy