________________
I શ્રી શંખેશ્વર ભક્તિ પાર્શ્વનાથાય નમ://
વન વિતાવ [જ ૬
ર
સુશ્રાવક ડોલરભાઈનું આંતર મંથન જાગ્યું. તેમાંથી પ્રગટ્યો સાધર્મિક ભક્તિનો પ્રવાહ અને આંતરચક્ષુ ખૂલ્યા તેમાંથી ભાવસામાયિકનું દર્શન થયું અને હવે અત્યંતરપુરૂષાર્થ ખીલ્યો તો તેમાંથી જૈનધર્મના સિદ્ધાંતોની સરવાણી ચિતનરૂપે વહી રહી છે સરસ. ખૂબ સરસ. જૈન ધર્મના મર્મો જૈન શ્રાવકો ઉંડાણથી નિખરવાપરખવા માંડે એના જેવો રૂડો દિવસ બીજો કયો હોઈ શકે?
દર્શનશાસ્ત્રનું યોગદાન તેનું મહત્વ સમગ્ર સમાજના ભાવી ઉત્થાન અને ઘડતર માટે ચાવીરૂપ છે.
જેવું દર્શન, તેવો સમાજ.
જૈન દર્શને અદ્ભુત સમાજ રચના આપી. ઉત્કૃષ્ટ જીવનશૈલી જન્માવી. હવે તેનું સંવર્ધન સંપોષણ કરવા માટે જૈનોએ જૈનતત્વોને આત્મસાત્ કરી તેના પ્રચાર પ્રસાર માટે પરિશ્રમ કરવો જોઈએ.
સુશ્રાવક શ્રી ડોલરભાઈને શુભાશિષ પાઠવતાં અત્યન્ત આનંદ થાય છે કે તેઓ આ માર્ગે હજુ ખૂબ આગળ વધે અને કવિ ઋષભદાસ વિગેરે તત્વજ્ઞ મર્મજ્ઞ જાણકાર શ્રાવકોની ઉજ્વળ પરંપરાને આગળવધારે. એજ.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર
મહાપ્રાસાદ (શંખેશ્વર) પ્રેરક આ. વિજ્ય પ્રેમસૂરિના ધર્મલાભ
Ján Education International
For Personal & Private Use Only
www.jalne brary.org