________________
ફેલાયેલ હોવાથી, બીજા કરતાં પોતે ઉચ્ચ છે, એવી લાગણીથી મનુષ્ય અહંકાર અને અભિમાન અનુભવે છે. પોતે ઉચ્ચ કુળમાં જન્મ્યો હોય તો બીજા કરતાં પોતે ઉચ્ચ છે, એવી અભિમાનની લાગણીનો અનુભવ કરે છે. ઘણી વખત સદ્ગુરુ, બોધ દ્વારા સત્સંગ અને યોગમાં રહી, શાસ્ત્રોના અભ્યાસથી પોતાને પ્રાપ્ત થયેલ જ્ઞાનને કારણે પણ મનુષ્ય પોતાને મહાન અને બીજા કરતાં ઉચ્ચ ગણે છે તે પણ એક જાતનું અભિમાન છે. અભિમાન રાજ્યનું, સંપત્તિનું, બળનું, રૂપનું, કુળનું, વિદ્વત્તાનું અને ખુદ પોતે નિરભિમાની હોવાનું પણ હોઈ શકે છે. આપણે જાણીએ છીએ કે આવા અહંકાર અને અભિમાનને કારણે રામાયણ અને મહાભારત સર્જાયા છે.
અહંકાર અને અભિમાન જીવનમાં સમભાવનો અભાવ દર્શાવે છે. જીવે જો મનની સ્થિરતા અને શાંતિનો અનુભવ કરવો હોય તો અભિમાન અને અહંકારની ભાવનાનો ત્યાગ કરી શાંતિ અને સમભાવની ભાવના કેળવવી જોઈએ. આ જગતમાં સર્વ જીવો સમાન છે. અત્યારે હું જે ભોગવું છું તે મારા પૂણ્યને પ્રતાપે છે. હું કોઈનાથી તુચ્છ નથી અને કોઈ મારાથી તુચ્છ નથી. આવો સમભાવ કેળવવામાં આવે તો અહંકાર અને અભિમાનનો નાશ થાય છે. અને જીવ શાંતિ અને સ્થિરતાનો અનુભવ કરે છે. અહંકારમાંથી ક્રોધ પેદા થાય છે. અહંકારથી માણસની નિર્ણય શક્તિ, વિચાર શક્તિ, સમજ શક્તિ વગેરે નાશ પામે છે. અહંકાર માણસમાં જ્ઞાન અને બીજા સદ્ગુણો સ્થિર થવા દેતો નથી. આવા માણસને બીજાઓનો પ્રેમ અને આદર પ્રાપ્ત થઈ શકતો નથી. અહંકારનો નાશ કરવા જીવનમાં નમ્રતા, અને મધુરતાને દાખલ ક૨વી જોઈએ. આ કંઈ મારું નથી, બધું છોડીને જવાનું છે. અને લોકોનાં પ્રેમ અને શુભેચ્છાઓ સિવાય મારી સાથે કંઈ આવવાનું નથી. આવી ભાવના રાખવાથી અહંકારનો ધીરે ધીરે નાશ અને મનને અલૌકિક આનંદ અને શાંતિની પ્રાપ્તિ થશે.
કર્મ
મહાવીર પ્રભુએ સુત્રકૃતાંગમાં કહ્યું છે કે માણસ જે દુઃખી થાય છે, શોક પામે છે, પરિતાપ પામે છે, તે બધું તેનાં કરેલાં કર્મોનું
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org