SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ સંસારના ઉપભોગનાં સાધનોમાં માનવીને સહજ રીતે અન્યની વસ્તુ વધુ સારી લાગે છે, અને આવી વસ્તુ મેળવવાની ભાવના જાગે છે. ઘણી વખત મનની ચંચળતા એટલી બધી વધી જાય છે કે ગમે તે ભોગે પણ પ્રાપ્ત કરવાની લાલસા જાગે છે અને એથી ચોરી કરીને પણ મેળવવાની ઝંખના થાય છે. કોઈ ની વસ્તુ વાપરવાનો વિચા૨ પણ કરવો જોઈએ નહીં અને એવી વસ્તુ મેળવવાની ઇચ્છા થાય તો નિષ્ઠાપૂર્વક પ્રમાણિકતાથી મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રમાણિકપણે પ્રયત્ન કરીને મેળવેલ વસ્તુનો ઉપભોગ આનંદ અને શાન્તિથી થઈ શકે છે. ચોરી કરવી અથવા તેમાં સહભાગી થવું તે મહા પાપ છે.. બ્રહ્મચર્ય ચેતના અને પુરુષાર્થ એ આત્માનાં મુખ્ય બળો છે. તે બળોનો દુરુપયોગ અટકાવવામાં આવે તો જ તેમને સદુપયોગની દિશામાં વાળી શકાય. બ્રહ્મચર્ય એટલે કામ ક્રોધ વગેરે દરેક અસવૃત્તિ જીવનમાં ઉદ્ભવતી અટકાવવી અને શ્રદ્ધા, ચેતના, નિર્ભયતા સવૃત્તિઓને જીવનમાં પ્રગટાવવી. મન બહુ ચંચળ છે. મનની અસ્થિરતા વધારનારા સઘળા વિકારોમાં કામ વિકાર બહુ જ અગ્રેસર છે. કામનો આવેગ ભલભલા ઋષિ મુનિઓના મનને પણ ચંચળ બનાવી દે છે. જો કે આ આવેગને લીધે જ સંસારની ઉત્પત્તી થાય છે. આ આવેગને કાબુમાં રાખવો બહુ કઠિન છે. પરંતુ મનને સ્થિર કરી આ આવેગ ઉપર કાબૂ રાખી બ્રહ્મચર્ય પાળવામાં આવે તો તે અતિ શાંતિકા૨ક બને છે. આ આવેગ ઉપર કાબૂ રાખવા સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવું શક્ય ન હોય તો પણ એક પત્ની વ્રત પાળવાનો નિશ્ચય કરવો અને તેનું અનુકરણ કરવું તે ખૂબ જ અગત્યનું છે. ધર્મ પ્રવૃત્તિમાં, સ્વાધ્યાયમાં, ભક્તિમાં અને ધ્યાનમાં, બ્રહ્મચર્યનું પાલન ખૂબ જ જરૂરી છે. બ્રહ્મચર્ય એક ધાર્મિક પ્રક્રિયા ઉપરાંત આત્મજાગૃતિની સતત સાધના છે. જેઓ અલ્પ શક્તિવાળા છે, શીલ રહિત છે, તેઓ ઇન્દ્રિયોના ગુલામ બની જાય છે અને બ્રહ્મચર્ય પાળી શકતા નથી. આ માટે દ્રઢ સંકલ્પ અને મજબૂત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005641
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorMarghaben Chimanlal Vakil Charitable Trust
PublisherMarghaben Chimanlal Vakil Charitable Trust
Publication Year1999
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy