________________
તેની પાછળ હેતુ કર્યો ? એમાં મોક્ષ સિવાય બીજું કાંઈ પણ બોલી શકાય તેમ છે ખરું ? સારાય સંસારના જીવો દુઃખ માત્રથી છૂટે અને સદાકાળને માટે સૌ માત્ર સુખમાં જ ઝીલ્યા કરે, એવી એ તારકોની ભાવના હતી. એ તારકોને લાગ્યું હતું કે ‘કોઈ પણ જીવ જ્યાં સુધી તે મોક્ષને પામે નહિ, ત્યાં સુધી તે જીવ દુઃખ માત્રથી છૂટે અને સદાકાળને માટે માત્ર સુખમાં જ ઝીલનારો બને, એ શક્ય જ નથી.' આથી એ તારકોએ એવી ભાવના ભાવી કે જો મારામાં શક્તિ આવે, તો હું સૌ કોઈને મોક્ષમાર્ગના જ રસિક બનાવી દઉં !'
આવી ભાવનાની ઉત્કટતામાં રમણ કરતાં કરતાં એ તારકોએ તીર્થંકર-નામકર્મની નિકાચના કરી અને એ નામકર્મના પ્રતાપે જ એ તારકોએ પોતાના અંતિમ ભવમાં રાગ-દ્વેષનો ક્ષય કરીને અને કેવલજ્ઞાનને ઉપાર્જીને ધર્મતીર્થની સ્થાપના કરી. આટલું જાણનાર એ ન સમજે કે, ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલો આ માર્ગ મોક્ષ માટે જ છે ? હવે જો આપણને મોક્ષની ઇચ્છા જ ન હોય, તો આપણે માટે આ માર્ગ ઉપયોગી રહ્યો જ નહિ ને ? સામાન્યમાં સામાન્ય બુદ્ધિવાળો પણ જો જરા સમજીને આ માર્ગને સ્વીકારે, તો એ એટલું તો સમજે જ કે મારે મારા મોક્ષને સાધવા માટે જ આ માર્ગ છે.’
આ વાત આટલી બધી સ્પષ્ટ હોવા છતાં પણ જ્યાં સુધી ભવ્ય જીવોનો પણ કાળ પાક્યો હોતો નથી, ત્યાં સુધી ઘણી ઘણી ધર્મક્રિયાઓ કરવા છતાં પણ ‘હું આ ધર્મની મોક્ષના હેતુથી આરાધના કરું’-એવી ઇચ્છા તેનામાં પ્રગટી શકતી નથી. જ્યાં સુધી એક પુદ્ગલપરાવર્ત્તથી વિશેષ કાળને માટે જીવને સંસારમાં ભટકવાનું હોય છે, ત્યાં સુધી એ જીવને ખુદ શ્રી તીર્થંકર ભગવાન આદિનો યોગ થઈ જાય અને એ તારકની વાણીનું શ્રવણ કરવાનો યોગ પણ પ્રાપ્ત થઈ જાય, તો પણ એ જીવને મોક્ષની ઇચ્છા થાય જ નહિ. મોક્ષને પામવામાં એક પુદ્ગલપરાવર્ત્તથી ઓછો કાળ બાકી હોય, તો જ મોક્ષની ઇચ્છા થવા માટેનો એ જીવનો કાળ પાક્યો છે’-એમ કહી શકાય. આથી તો ચરમાવર્ત્ત કાળને જ જિનવાણીના પ્રયોગનો કાળ કહ્યો છે. ચરમાવર્ત્તમાં આવેલો જીવ જ જિનવાણીને ઝીલી શકે છે. ચરમાવર્ત્તમાં આવેલાને જિનવાણીને ઝીલવામાં કાળ
૨૨ - ધર્મ કયારે અને કોને અપાય?
ર
Jain Education International
For Personal & Private Use Only
હ
www.jainelibrary.org