________________
: શાશ્ર્વત ગિરિ મહિમા :
મુક્ત થઇ શ્રી સિદ્ધાચળગિરિની છાયામાં જનારા પ્રાણીને આત્માની અંદર અપૂર્વ શાંતિ અને અખંડ લહેરીઓ દેનારૂં એ ધામ છે.”
રાસકર્તા કવિ ઋષભદાસે શ્રી સિદ્ધગિરિનું ઉત્તમ અને ભાવવાહી એક સ્તવન આ સ્થળે લખેલ છે, તે ખાસ ગાવા લાયક, સાંભળવા લાયક અને કંઠસ્થ કરવા લાયક હોવાથી આ નીચે આપ્યું છે.
શ્રી સિદ્ધાચળનું સ્તવન
દેશી-(રામ ભણે હરિ ઉઠિયો)
અથવા
( સહેજાનંદી રે આતમા.) શેત્રુંજો સેવો રે ભવિજના. (૨) એ આંકણી. જગમાં તીરથ છે ઘણા, તેહમાં શેત્રુંજો સાર રે, પામ્યા ભવિજન પાર રે, વારે તે ગતિ ચાર રે; પોત્યા મોક્ષ દુવાર રે- શેત્રુંજો જે નર “છ-રી” રે પાળતાં, શેત્રુજે વંદન જાય રે, નદી શેત્રુંજીમાં ન્હાય રે, પોઢાં પાપ ધોવાય રે; એમ ઘટ નિર્મળ થાય રે- શેત્રુંજો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org