________________
૧. મૂળથી ત્યાગ ૨. કાચી ત્યાગ 3. નીવિયાતી ત્યાગ દૂધ વિગઇ:- મૂળથી ત્યાગ હોય તો દૂધમાંથી બનેલી કોઈપણ ચીજ વાપરી શકાય નહિ. કાચી ત્યાગ હોય તો ફકત દૂધ પીવાય નહિ, પણ દૂધની બીજી કોઇ બનાવટની ચીજ વાપરી શકાય. નીવિયાતી ત્યાગ હોય તો દૂધનો સ્વાદ ફેર થઇ ગયેલી ચીજ (ખીર - દૂધપાક) ન વપરાય. દહીં વિગઈ - મૂળથી ત્યાગ હોય તો દહીં નાખેલી કોઇપણ ચીજ વપરાય નહિ. કાચી ત્યાગ હોય તો ફકત (કાચું) દહીં ખવાય નહિ. દહીંનો સ્વાદ ફરી જાય તે રીતે બનાવેલી કોઈપણ ચીજ તેમજ માખણ કાઢેલી વલોણાની છાસ પણ વપરાય. નીવિયાતી ત્યાગ હોય તો શ્રીખંડ, રાયતું, દહીં ભાંગીને કરવામાં આવેલ કઢી વગેરે વપરાય નહિ.(ખાસ સુચના :-બરાબર ગરમ કર્યા વગરના ગોરસ એટલે કાચા દૂધ, દહીં, છાશની સાથે કઠોળ અથવા કઠોળના લોટમાંથી બનાવેલી કોઈપણ ચીજ વાપરવાથી વિદળ દોષ લાગે. માટે તેના ત્યાગનો ઉપયોગ રાખવા ચૂકવું નહિ. કારણ કે તે બન્ને ભેગા થતાંની સાથે જ તેમાં બેઇન્દ્રિય જીવોની ઉત્પતિ થાય છે.) ઘી વિગઇ:- મૂળથી ત્યાગ હોય તો જેની અંદર ઘી આવેલ હોય તે સઘળી ચીજ વપરાય નહિ. કાચી ત્યાગ હોય તો કાચું ઘી અથવા કાચા ઘીથી ચોપડેલી કોઇપણ ચીજ ન વપરાય. પરંતુ ત્રણ ઘાણ પછીનું ઘી વપરાય. નીવિયાતું ત્યાગ હોય તો પકવાન વગેરે મીઠાઇઓ તેમજ તળેલી ચીજો તથા નીવિયાતું ઘી વપરાય નહિ. તેલ વિગઈ - મૂળથી ત્યાગ હોય તો જેની અંદર તેલ આવે તેવી ચીજ વપરાય નહિ. કાચી ત્યાગ હોય તો કાચું તેલ કોઇ ચીજમાં ઉપર નાંખીને અથવા લઇને વપરાય નહિ. નીવિયાતી ત્યાગ હોય તો તેલના શાક આદિ વપરાય નહિ. ગોળ વિગઈ - મૂળથી ત્યાગ હોય તો ગળપણવાળી કોઈપણ ચીજ વપરાય નહિ. એટલે કે ગોળ તથા ખાંડ આદિ નાખેલી કોઇપણ ચીજ કહ્યું નહિ. કાચી ત્યાગ હોય તો ગોળ કે ખાંડ વાપરવા નહિ.
૨૮
ળી
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org