________________
૮: આભના ટેકા જળ લેવા ગયા કે સહસા ઈન્દ્રાસન કંપ્યું અને ઈદ્રમહારાજા અને દેવોએ મળી તીર્થજળથી અભિષેક કરી, દિવ્ય વસ્ત્રો ધારણ કરાવી મુગટ અને રત્નાલંકારો ધારણ કરાવ્યા. દેવોને આ બધું કરતાં શી વાર !
યુગલીયાઓને મનમાં ઘણી હોંશ હતી :
આજે આપણે આપણા લાવેલા જળથી અભિષેક કરીશું પછી તેને વસ્ત્ર અલંકારથી સજ્જ કરીશું. પણ અહીંનું દશ્ય તો જુદુ હતું. હવે? બધા યુગલીયાઓ અખિન્ન હૃદયે ત્યાં જ ઊભા રહ્યા. ઈન્દ્રો અને દેવોનું આવાગમન ચાલુ જ હતું. સહેજ પણ છોભીલા પડ્યા વિના, ઋષભકુમારના પગનો એક અંગૂઠો દેખાતો હતો ત્યાં પોતાના પડીયાના જળ વડે, આચાર સાચવવા અભિષેક કર્યો ! સંતોષ માન્યો.
અભિનવ ઋષભકુમાર પ્રસન્ન પ્રસન્ન થેઈ ગયા. મુખમાંથી સહસા ઉદ્ગારો સરી પડ્યા : સહો વિનીતા પત્તા (અહો ! આ બધા કેટલા વિનયવંત છે !)
ઈન્દ્રમહારાજા પણ આ ઘટનાથી ખૂબ પ્રભાવિત થયા. નૂતન રાજાના મુખમાંથી નીકળેલા શબ્દોને કાયમી બનાવવા માટે જાહેર ઉદ્ઘોષણા કરી કે, “આ ઘટનાની સ્મૃતિને ચિરંજીવિની બનાવવા અહીં આ સ્થળે એક નગરી વસાવવામાં આવશે અને તેનું નામાભિધાન વિનીતા રાખવામાં આવશે.
યુગલીયાઓ રાજી રાજી થઈ ગયા.9
A
RE
કરો
NOON
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org