________________
૩૦: આભના ટેકા | તીર્થાધિરાજ શત્રુંજયની રક્ષા-સેવાનું કાર્ય કરવાની અનોખી તક મળી. કપર્દી યક્ષ બન્યા. આચાર્ય મહારાજ શ્રી ધર્મઘોષસૂરીશ્વરજી મહારાજ પ્રત્યે ક્ષણેક્ષણ કૃતજ્ઞતાભાવથી સભર બનીને વંદના કરતા રહ્યા. એ મહાપુરુષના પ્રભાવે આ ઊંચાઈ મળી. એમણે દર્શાવેલા નજીવા ધર્મના પ્રતાપે આવી સ્થિતિ મળી. પ્રતિજ્ઞાનું દૃઢતાપૂર્વક પાલન સર્વ પ્રન્થિથી મુક્ત બનાવ્યા વિના ન રહે. પ્રતિજ્ઞા ભલે નાની રહે, તેનું દૃઢ પાલન મનોબળથી થાય, તો આકાશને આંબે તેવા આંબા ફળે. પ્રતિજ્ઞા-પાલનની આ વિશેષતા છે. તે આપણામાં આવે તો આપણે પણ કસોટીની કપરી વેળાએ પ્રભુકૃપાથી અચળ રહીએ, તો ઘારેલી સિદ્ધિના સ્વામી બની શકીએ.
यः पूर्वं तन्तुवायः कृतसुकृतृलवो पूरितो दुरितौघैः,
प्रत्याख्यानप्रभावादमरमृगदशामातिथेयं प्रपेदे । सेवा हेवाकशाळी प्रथमजिनपदाभ्भोजयोस्तीर्थरक्षा - दक्षःश्रीयक्षराजः स भवतु भविनां विघ्नमर्दी कपर्दी ॥ મૂળ પ્રાચીન શ્લોક - સ્તુતિ અને પદ્યાનુવાદ જે પહેલા વસ્ત્ર વણતાં વણકર જીવને,
આ પાપમાં રાચતા'તા, નાનું એક, સાવ નાનું, અડગ મન વડે,
અલ્પ સતકૃત્ય કીધું; પ્રત્યાખ્યાન-પ્રભાવે દુરિત નિજ ઘટ્યું,
તીર્થ યક્ષત્વ પામ્યા, સેવામાં સજ્જએવા નિત, વિઘન હરો હે! કપર્દી અમારા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org