________________
૨૮ : આભના ટેકા
આન્તર ગાંઠ છૂટ્યાની વેળા ...
વર્તમાનમાં અવગુણના ઓરડા જેવા જણાતા જીવો પણ એકાદ ગુણનું પુષ્ટ આલંબન લઈને, દઢપણે તેને વળગી રહીને, દેહની મમતાના વળગાડને ઓળંગી જઈને, ક્ષણિક લાભના વળગણને તરછોડીને, સડસડાટ ઊંચે ને ઊંચે ચડતા હોય છે.
આવું જોવા મળે ત્યારે, એવું લાગે છે કે કોઈ પણ જીવની વર્તમાન વિષમ સ્થિતિ જોઈને તેની નિંદા ન કરવી, પણ તેનામાં રહેલી શ્રેષ્ઠ સંભાવનાની કલ્પનાને જીવતી રાખવી.
જુઓ તો ખરા ! વણકરની જાત ! એને દિવસ-રાત શું કરવાનું ? ગામના છેવાડે નાનું સરખું એક ઘર. ઘરને ઓટલે બેસી તાણો અને વાણો
વણવાના.
રોજ રોજ નાના-મોટા વસ્ત્ર માટે કાપડ વણવાનું ચાલે.
રસ્તે જતાં-આવતાં લોકોને ‘કેમ છો ? ભલા છો !' એમ દિવસ આખો પૂછપરછ ચાલે.
ગામની ભાગોળેથી જ સાધુમહારાજ ખેતર ભણી રોજ વડીશંકા નિવારવા જતાં-આવતાં હોય તે બધાને આ વણકર જુએ, મનમાં હરખાય. બોલવાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org