SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ આભના ટેકા: ૧૭૯ યાદ રાખી લેવા જેવો પ્રસંગ છે અને ઉપદેશ છે. હિંસા કે આતંક નજરે દેખાય ત્યારે, ભાઈઓ ! આ શું કરો છે? આવું ન કરાય! એટલું તો અવશ્ય કહેવું જોઈએ. આવા સમયે મૌન રહેવું એ પણ સંમતિ સૂચક છે એમ ઉપરના પ્રસંગથી પ્રમાણ થાય છે. એવું ન થાય અને હિંસા અટકે એવી ભાવના હશે તો જ સંવેદના જીવતી રહેશે. ] બને સ્થિતિમાં મઝા જ મઝા વિશાળ વનરાજિથી વિંટળાયેલી ટેકરી ઉપર એક બાવાજી રહેતા હતા. સાત આઠ વિદ્યાર્થીને ભણાવતા હતા. વિદ્યાર્થીઓ જ જંગલમાંથી સૂકાં લાકડાં વીણી લાવી રસોઇ કરીને બધાને જમાડતા હતા. એક દિવસ ભણનાર છોકરાઓએ આવીને સમાચાર આપ્યા કે, ગુરુજી, ગુરુજી ! સાત-આઠ ગાય ક્યાંકથી ફરતી ફરતી આવી ગઈ છે.” ગુરુજીએ કહ્યું, “ભલે! ત્યાં જ સ્ટેજ બાંધીને છાંયડો કરી દ્યો. માતાજી સુખે સુખે ત્યાં રહી શકે.” તે પ્રમાણે છાંયો કર્યો. ગાયો નિરાંતે રહેવા લાગી. દૂધ મળવા લાગ્યું. દહીં, ઘી થવા લાગ્યા. બધો પરિવાર મઝામાં આવી ગયો. દિવસો સુખમાં વિતતાં હતા. ત્યાં એ જ છોકરાઓ ભેળાં થઇને આવ્યા. ગુરુજીને કહેવા લાગ્યા. ગુરુજી, ગુરુજી ! એ બધી ગાયો ક્યાંક ચાલી ગઈ ! ગુરુજી કહે, “ચાલો સારું થયું, ગોબર સાફ કરવું મટ્યું.” ભણતાં વિદ્યાર્થીઓએ કહ્યું, “ગાયો આવી ત્યારે આપે કહ્યું કે ગોરસ મળશે અને એનો માલિક એ બધી ગાયોને લઈ ગયો તો આપે કહ્યું કે ગોબર સાફ કરવું મટ્યું. તો બન્ને અવસ્થામાં આપને સારું જ દેખાય છે? ગુરુજી કહે, “હા, ભણતરનો સાર જ આ છે ને. નજર એવી ટેવાઈ જાય કે સારું હોય તે જ નજરે ચઢે. અને જે જુએ તેમાંથી સારું શોધી કાઢે.' આપણને સારું જોવા જ આંખ મળી છે. તેની સાર્થકતા તેમાં છે. જોવું છે તો સારું જ જોવું. 3 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005634
Book TitleAabhna Teka
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherPathshala Prakashan
Publication Year2012
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy