________________
આભના ટેકા: ૧૭૫ ખેમો કહે, “ઘરે તો હાલો સૌ સારાં વાનાં થશે.'
બધાંએ ખેમાના દીદાર જોયાને મન કચવાયું પણ ખેમાની વાણીમાં બળ હતું. અંતરની વાણી ઠેલવી મુશ્કેલ હોય છે. આગ્રહ હતો પણ દિલથી હતો. આખરે ગાડા ખેમાના આંગણે છૂટ્યા. શિરામણની તૈયારી થઈ ગઈ. મહાજનને શિરામણની ઉતાવળ નથી પણ, ઉતાવળ ખરડામાં રકમ નોંધાવાની હતી. ખેમાએ ઠંડકથી કહ્યું, “આપ બધાં નિરાંતે શિરાવો, કારવો પછી તમ તમારે જે કહેશો તે કરીશું!'
ખેમાના બાપાએ આગ્રહ કરી કરીને નવકારશી પરાવી પછી સાવ સાદા લાગતા ઘરમાં નજર ફેરવતાં મહાજનને નીચે ભોંયરામાં લઈ ગયા. સોનારૂપા ઝર ઝવેરાતના કોથળાં બતાવ્યા. “જે જોઈએ જેટલું જોઈએ તેટલું લઈ લો આપનું જ છે !”
આ આપણી પરંપરા છે. મહાજન તો જોઇને આભું જ બની ગયું.
બધાની જીભ બંધ, આંખો પહોળી, હૈયું હરખાવા લાગ્યું - મન ચકરાવે ચઢ્યું.
એક એક જણ અંદર અંદર વાત કરવા માંડ્યું. સ્વગત બોલતાં હોય તેમ જ બોલ્યા,
એ તો કહે, પણ એમ થોડું જ લેવાય છે! ધણી આપે તે લેવાય! ' ખેમાના બાપે ખોબે ખોબા ઠાલવવા માંડ્યા. ખેસની ચાળ ફસકી જાય તેટલું દીધું. “બસ... બસ... ખમૈયા કરો !”
બધાંએ એકી અવાજે કહ્યું ત્યારે ખેમો અને તેના બાપા થોભ્યા.
મહાજને ગાડાં હવે ગામ ભણી વાળ્યા. ખેમાએ બે મજબૂત વોળાવીયા આપ્યા.
ચાંપાનેર પંથકનો દુકાળ સુખેથી ઓળંગી ગયા.
જૈન શ્રાવકની દિલની દિલાવરી આવી હતી અને છે... માત્ર અવસરની રાહ હોય છે. તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org