________________
આભના ટેકા : ૧૪૫
રાજ્યના ખૂણે ખૂણે પહોંચી ગઈ. પ્રજામાં હવે ચેતન આવ્યું. હોંશે હોંશે એક બીજા સાથે આ જ વાતો કરતા રહે છે.
એ વાત ચિત્તોડના મહારાણા કરણસિંહને કાને પહોંચી. ખુશ ખુશ થયા. નવાઈ પણ લાગી. પોતાના નિષ્ફળ નીવડેલા વૈદ્યને બોલાવ્યા. ‘આ શું? તમે તો કહેતા હતા કે આ મહારોગનો કોઈ ઇલાજ નથી !'
વૈઘરાજે શાંત ચિત્તે કહ્યું કે, કૃપાળુ ! તપાસ કરાવવી પડશે. આયુર્વેદ ગ્રંથોમાં જે ઉપાય દર્શાવ્યો છે તેનાથી જ મટ્યું હોય ! રાણાએ કહ્યું, ‘શું વાત કરો છો ?’
મહારાણાએ તપાસ કરાવી. કયા ગામના સીમાડામાં આ ઘટના બની, ગાડું ભરી જનાર ખેડૂતનું ખેતર ક્યાં હતું...આ બધી તપાસના અંતે જાણવા મળ્યું કે આયુર્વેદમાં જે ઉપચાર વર્ણવ્યો છે તે મુજબ જ બન્યું છે.
એ શેરડી જ્યાં ઉગી હતી તેના મૂળમાં એક સાપણ વીયાઈ હતી. તેની પ્રસુતિ એ શેરડીના મૂળમાં થઈ હતી. તે જ શેરડીના ભારા પર રાજાની નજર પડી હતી. તે જ શેરડી રાજાએ ચૂસી હતી અને તેનાથી રોગ ગયો હતો.
પાટણથી જ્યારે આ વાત આવી ત્યારે ગોવિંદ વૈદ્યરાજે ચરક ગ્રંથમાંથી આ પાઠ બતાવ્યો. મહારાણા ખુશ થયા અને ભરી સભામાં વૈદ્યરાજ ગોવિંદનું સન્માન કરવામાં આવ્યું. આયુર્વેદના ગ્રંથો પર રાજાના અને મહારાણાના ભાવ અને વિશ્વાસ ખૂબ વધી ગયા.
ઘટના બનવાની હોય છે ત્યારે તે ગમે ત્યાંથી બનીને જ રહે છે. આવા કિસ્સા પરથી તે માન્યતા ફલિત થાય છે.
વાત ઇતિહાસની છે પણ તે એવી પ્રચલિત કે જાણીતી નથી. દુનિયામાં આવું બને છે, બની શકે છે. તેમાં પ્રબળ કારણ ભવિતવ્યતા છે. અલબત્ત, કોઈપણ કાર્ય બને છે તેમાં કાળ-સ્વભાવ-ભવિતવ્યતા-પૂર્વકર્મ-પુરુષાર્થ આ પાંચ કારણ હોય છે. તેમાં પણ ગૌણ અને મુખ્ય વિભાગ હોય છે. આ પ્રસંગમાં ભવિતવ્યતા મુખ્ય ગણાય છે. I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org