________________
આભના ટેકા ૧૩૩ જ કોઇ મુસાફરખાનાના ઓટલે ગાળી, સવારે જ સારા શુકને ગામમાં જવું. આવો વિચાર કરીને ગામની બહાર એક ધર્મશાળાની ઓરડીમાં રાતવાસો કરવાનું વિચાર્યું. બ્રાહ્મણે પણ તેમ જ કર્યું. સાથે આવ્યા હતા ને! થાક તો હતો જ! ગામ આવી ગયું હતું એની પણ નિરાંત હતી. રાત ક્યાં પસાર થઈ ગઇ તેની ખબર પણ ન રહી.
સવારે જાગ્યા ત્યારે બન્નેનાં મોં મલકતાં હતાં. એ રાત્રે બન્નેએ સુંદર સ્વપ્ન જોયાં હતાં-થાળીમાં ચન્દ્રનું પાન કર્યું હતું. બ્રાહ્મણે તો પોતાની મેળે, પોતાની રીતે જ સ્વપ્ન ફલ-કથન સમજી લીધું કે આના પ્રભાવે મને આજે ઉત્તમ ભોજન પ્રાપ્ત થશે. સ્વપ્ન-ફળમાં નિયાણા જેવું હોય છે; તમે જાતે જ ફળ માંગી લો – નક્કી કરી લો એટલું જ ફળ મળે. બ્રાહ્મણ તો ગામમાં પેસતાં કશી વાતચીત કર્યા વિના ઉત્તમ ભોજન મળશે એવા ખ્યાલમાં રાચતો નગરની શેરીમાં ચાલવા લાગ્યો. કોઈકે તેને જમવા માટેનું નોતરું પણ આપ્યું. બ્રાહ્મણતો મારું સ્વપ્ન ફળ્યું” એવા હરખથી તેની પાછળ પાછળ ગયો.
જ્યારે મૂલદેવે વિચાર્યું કે આવું સુંદર સ્વપ્ન રાત્રીના છેલ્લા પહોરે આવ્યું છે તો તેનું વિશિષ્ટ ફળ હોવું જોઇએ. કોઇ સારા જ્યોતિષને જઇ પૂછીશ. ગામમાં પેસતાં જ જ્યોતિષની ભાળ મેળવી ને તેને ત્યાં ગયો. જ્યોતિષ આ સ્વપ્ન વિષે સાંભળી મૂલદેવ સામે જોઈ જ રહ્યા. સ્વરોદય અને સ્વપ્નશાસ્ત્રના આધારે વિચાર્યું કે સ્વપ્નદર્શનના પ્રભાવે આ વ્યક્તિ જરૂર “રાજા” થશે. વળી પોતાના મનમાં સ્વાર્થ પણ ઝબક્યો. નિર્ણય કહેતાં પહેલાં મૂલદેવને તેણે કહ્યું, “તમે મારા જમાઇ થવાની ‘હા’ તો આ સ્વપ્નનું કથન કરું.” મૂળદેવ વિચાર કરે છે; જોષી મહારાજ અનુભવી છે, શાસ્ત્રના જાણકાર છે. મારા ભલા માટે જ કહેતા હશે. જ્ઞાનીનાં વચનનો અનાદર ન થાય. એમ વિચારી અણે હા કહી એટલે જોષી મહારાજે કહ્યું, “તમે નજીકના ભવિષ્યમાં “રાજા” થવાના છો.” આ સાંભળી મૂલદેવ રાજી થયો. જ્યોતિષના આશીર્વાદ લઇ આગળ ચાલ્યો.
શેરીમાંથી પસાર થતાં એક વયોવૃદ્ધ માજીએ એને જોયો. દેદાર જોઈ પૂછયું, “વટેમાર્ગુ લાગો છો. ભૂખ્યા હશો, લ્યો. બીજું કાંઈ નથી પણ થોડો બાજરીનો લોટ અને ગોળ છે.” મૂલદેવે ખેસનો છેડો લંબાવ્યો. પ્રેમથી મળતું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org