________________
૧૨૪: આભના ટેકા
આવેશ એ એક એવી બૂરી ચીજ છે કે ભલભલા બાહોશ માણસને પણ બેહોશ બનાવી દે છે. જ્યારે માણસના મન ઉપર એક જીદભરી ઇચ્છાનો નશો સવાર થઇ જાય છે ત્યારે તેની આંખ બંધ થઇ જાય છે. આખરે તો એણે ઘર, ઘરેણું ને હાટ વેચીને પૈસાનો વેંત કર્યો અને નાતને નોતરું આપ્યું.
બધાને આશ્ચર્ય તો થયું જ. કારણ કાંઇ સમજાયું નહી. બધા અનેક અટકળો કરતાં જમવા બેઠા. રસોઇ સારી બની હતી. જમવાનું લગભગ પૂરું થવા આવ્યુ ત્યારે શેઠ મલપતા મલપતા પાપડનો ટોપલો લેવરાવીને પાપડ પીરસવા નીકળ્યાં.
ક્રમમાં આવતાં આવતાં નગરશેઠનું ભાણું આવ્યું ત્યારે યાદ રાખીને રાખેલો અરધો પાપડ તેમણે નગરશેઠના ભાણામાં મૂક્યો. પોતાનો અહં સંતોષાયાનો આનંદ થયો. પછી આગળ વધ્યા ને બધાને પાપડ પીરસતા જમણવાર પૂરો થયો.સૌ ઘર ભેગાં થયા. નગરશેઠના મનમાં કાંઇ વિચાર પણ ન આવ્યો.
અહીંયા આ વાર્તા-પ્રસંગ પૂરો થાય છે. પરંતુ આપણે જે બોધ લેવાનો છે એનો વિચાર હવે કરીએ.
પોતાના ભાણામાં અરધો પાપડ આવ્યો ત્યારે હું દરિદ્ર છું માટે મને નગ૨શેઠે જાણી બૂઝીને અરધો પાપડ આપ્યો એ વિચાર આવ્યો. એક વખત આપણે માની લઇએ કે આવી સ્થિતિમાં આવો વિચાર આવવો સ્વાભાવિક છે. પણ જો તેની પાસે વાચન-શ્રવણ-મનનની ભૂમિકા હોત તો તે આ સિવાય બીજું કોઇ કારણ પણ હોઇ શકે એવું તે વિચારી શકત. સ્વાભાવિકપણે પણ નગરશેઠ મારી પાસે આવ્યા ત્યારે ટોપલામાં છેલ્લે અરધો પાપડ રહ્યો હોય એવું પણ બને. આવું તે વિચારી શક્યો હોત તો માત્ર એક ખોટા ખ્યાલના આધારે તે ખુવાર થયો તે ન થાત. મનમાં ઘર કરી ગયેલા ખોટા ખ્યાલથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org