________________
૧૨૨ : આભના ટેકા
જ્ઞાનનું ફળ સમજણના સીમાડાનો વિસ્તાર
વાચન-શ્રવણ કરવું જોઈએ એ વાતે બધા જ સંમત છે. પરંતુ જેવી એ વાચન-શ્રવણના ફળની વિચારણા કરવામાં આવે ત્યાં મતભેદ પ્રવર્તે છે. મોટા ભાગના લોકોનો નિશ્ચિત કરેલો મત છે કે જ્ઞાનસ્થ તં વિરતિઃ।
- જ્ઞાનનું ફળ વિરતી છે, આચરણ છે. આચરણ વિનાનું જ્ઞાન નકામું છે, વાંઝિયું છે. એવા જ્ઞાનની કશી કિંમત નથી કે જે જ્ઞાન પછી આચરણમાં ન પ્રગટવાનું ન હોય. જ્ઞાન તો જ સાર્થક કહેવાય કે જ્યારે એ પ્રમાણેનું જીવન હોય, કરણી હોય. આ મત સાચો છે પરંતુ આમાં પણ જ્ઞાનના બાહ્ય ફલક સુધીની જ પહોંચ છે.
જ્ઞાનના ફળની બીજી બાજુ છે; એ છે જ્ઞાનની અંતરંગ ભૂમિકાએ ફળની વિચારણા. આ વાત તો આપણા ચેતોવિસ્તારની બહાર રહી ગઈ છે.
આજે એ મુદ્દા પર થોડી વિચારણા કરવી છે. પ્રવચન-શ્રવણનું ફળ શ્રદ્ધા છે. આ વાત ફરી ફરીને ઊંડાણમાં જઈને વિચારવા જેવી છે, સ્થિર કરવા જેવી છે. પ્રવચન-શ્રવણને સીધાં આચરણ સાથે ન સાંકળતાં, વચલી કડી શ્રદ્ધાની છે તેની સાથે તેને પહેલા જોડવી જોઈએ. શ્રદ્ધા એ અમૂલ્ય પદાર્થ છે. પરંતુ આ શ્રદ્ધા સૂક્ષ્મ બુદ્ધિગમ્ય છે.
સ્થૂળ દષ્ટિવાળા લોકો પ્રવચન સાંભળનારને પૂછતાં હોય છે : સાંભળીને શું કર્યું ? તેઓ પ્રવચન-શ્રવણનું ફળ આચરણમાં શોધતાં હોય છે. ત્યાં એવું અપેક્ષિત ફળ જોવા નથી મળતું ત્યારે, આમ કેમ બને છે ? એવા પ્રશ્ન લઈને ઊંડાણમાં જવાનું ટાળીને સીધા જ પ્રવચન-શ્રવણને દોષપાત્ર ઠરાવે છે.
કવિ અખાના શબ્દો : કથા સુણી સુણી ફૂટ્યા કાન, તો ય ન આવ્યું બ્રહ્મજ્ઞાન --એમ બોલીને અખો પણ અમારી વાતમાં સંમત છે એમ કહીને સંતોષ માનતા હોય છે. ખરેખર તો આ વાત થોડી જુદી રીતે વિચારવાની છે. એક રસપ્રદ ઉદાહરણ આ વાતને સમજવામાં ઉપયોગી બનશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org