SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ : આભના ટેકા જ્ઞાનનું ફળ સમજણના સીમાડાનો વિસ્તાર વાચન-શ્રવણ કરવું જોઈએ એ વાતે બધા જ સંમત છે. પરંતુ જેવી એ વાચન-શ્રવણના ફળની વિચારણા કરવામાં આવે ત્યાં મતભેદ પ્રવર્તે છે. મોટા ભાગના લોકોનો નિશ્ચિત કરેલો મત છે કે જ્ઞાનસ્થ તં વિરતિઃ। - જ્ઞાનનું ફળ વિરતી છે, આચરણ છે. આચરણ વિનાનું જ્ઞાન નકામું છે, વાંઝિયું છે. એવા જ્ઞાનની કશી કિંમત નથી કે જે જ્ઞાન પછી આચરણમાં ન પ્રગટવાનું ન હોય. જ્ઞાન તો જ સાર્થક કહેવાય કે જ્યારે એ પ્રમાણેનું જીવન હોય, કરણી હોય. આ મત સાચો છે પરંતુ આમાં પણ જ્ઞાનના બાહ્ય ફલક સુધીની જ પહોંચ છે. જ્ઞાનના ફળની બીજી બાજુ છે; એ છે જ્ઞાનની અંતરંગ ભૂમિકાએ ફળની વિચારણા. આ વાત તો આપણા ચેતોવિસ્તારની બહાર રહી ગઈ છે. આજે એ મુદ્દા પર થોડી વિચારણા કરવી છે. પ્રવચન-શ્રવણનું ફળ શ્રદ્ધા છે. આ વાત ફરી ફરીને ઊંડાણમાં જઈને વિચારવા જેવી છે, સ્થિર કરવા જેવી છે. પ્રવચન-શ્રવણને સીધાં આચરણ સાથે ન સાંકળતાં, વચલી કડી શ્રદ્ધાની છે તેની સાથે તેને પહેલા જોડવી જોઈએ. શ્રદ્ધા એ અમૂલ્ય પદાર્થ છે. પરંતુ આ શ્રદ્ધા સૂક્ષ્મ બુદ્ધિગમ્ય છે. સ્થૂળ દષ્ટિવાળા લોકો પ્રવચન સાંભળનારને પૂછતાં હોય છે : સાંભળીને શું કર્યું ? તેઓ પ્રવચન-શ્રવણનું ફળ આચરણમાં શોધતાં હોય છે. ત્યાં એવું અપેક્ષિત ફળ જોવા નથી મળતું ત્યારે, આમ કેમ બને છે ? એવા પ્રશ્ન લઈને ઊંડાણમાં જવાનું ટાળીને સીધા જ પ્રવચન-શ્રવણને દોષપાત્ર ઠરાવે છે. કવિ અખાના શબ્દો : કથા સુણી સુણી ફૂટ્યા કાન, તો ય ન આવ્યું બ્રહ્મજ્ઞાન --એમ બોલીને અખો પણ અમારી વાતમાં સંમત છે એમ કહીને સંતોષ માનતા હોય છે. ખરેખર તો આ વાત થોડી જુદી રીતે વિચારવાની છે. એક રસપ્રદ ઉદાહરણ આ વાતને સમજવામાં ઉપયોગી બનશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005634
Book TitleAabhna Teka
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherPathshala Prakashan
Publication Year2012
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy