________________
આભના ટેકા: ૧૦૫
વાણી વ્યક્તિનું માપ છે
વાણી એક વરદાન છે. માણસ સારો છે એમ જો કહેવાય તો એનો આધાર છે એક તેનો બાહ્ય દેખાવ અને બીજું તેની વાણી. એ કેવું બોલે છે ! ભાષા સારી છે કે નહીં! એની વાણીમાં તુચ્છતા આવી તો એના ટકા મૂકાઈ ગયા જે સમજો ! યાદ રાખજો, જે વ્યક્તિ તમારી સમક્ષ નથી તેના વિષે તમે બહુવચનમાં, માનપૂર્વક બોલો છો તો તે વાણી પેલી વ્યક્તિને અચૂક પહોંચે છે તે નક્કી જાણજો.
પિયસાવિ મિત્તલ્સ દે ના માસસાધન અર્થ : અપ્રિય એવા મિત્રનું પણ એકાન્તમાં સારું જ કહે. ગુજરાતી કવિતામાં પણ એક સરસ વાત આવે છે: ભૂંડુ બોલો ના કદાપિ મૂએલાનું સર્વથા' આમાં પણ એવા જ ભાવની વાત છે કે ગતાત્માની નબળી વાત
ન કરવી.
|
મારું તો નમ્ર મંતવ્ય છે કે દરેક વ્યક્તિએ પંદર વર્ષની વય થાય એટલે પોતાની બાને બહુવચનથી બોલાવવાનો વ્યવહાર દઢ પણે શરુ કરી દેવો જોઈએ. માતા સૌથી ઉપકારિણી છે. એમનાં પ્રત્યે બહુમાનથી કૃતજ્ઞતા નામના એક ઉત્તમ ગુણના વિકાસની શરુઆત થાય છે.
બોલવું તો પડે જ. બોલતી વખતે જાગૃત રહીને એવા શબ્દ વાપરીએ કે આપણાં અને સાંભળનારાના કાનને સુખ ઉપજે, શબ્દ શ્રવણમધુર અને કર્ણપ્રિય હોય.
જરા જેટલી પણ શોધ ચલાવશો તો આવા શબ્દો મળી રહેશે. શરૂશરુમાં કદાચ સારા શબ્દની શોધમાં જરા વાર લાગે પરંતુ પછી તમારું શબ્દભંડોળ જ એવું બની જશે કે તેમાં નબળો કે કર્ણકટુ શબ્દનો પ્રવેશ જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org