________________
F પાંચમા દિવસની કાર્યવાહી ; ૭૩ બેસે.” પરસ્પરની આમન્યા સચવાય, હૈયું ખોલીને વાત કરાય, અમારી ભૂલ હોય તે આપ વધુ કહી શકે ને આપની હોય તે નમ્રભાવે હું પણ વિનંતિ કરી શકું. માટે આપ લેક વિચાર કરે. મારે ઘણું ઘણું કહેવાનું છે. કલાકેના કલાકે ચાલ્યા જાય પણ આપણે જે વાત માટે નિર્ણય લાવવા સારૂ મળેલા છીએ તેની જ વિચારણા કરીએ.
જ્યારે આપણે શાસ્ત્રના પાઠે જોઈશું ત્યારે ઘણું ઘણું જાણવાનું મળશે. (પરસ્પરની) ભૂલ સમજાશે. સત્ય વાત કઈ છે તેની ખાતરી થશે. શાસ્ત્રાધારે આપણે નિર્ણય લેવાને છે. શાસ્ત્રોને આગળ રાખીને વિચારણા કરવાની છે. ગઈકાલે જે કાંઈ બન્યું... આપણે જોઈએ છીએ કે-ઘણાથી કાર્ય જલદી ન પાર પડે.
આપ લોકો તરફથી એ પ્રચાર થાય છે કે-કાંઈ પણ પુરાવા અમારા તરફથી રજુ કરાયા નથી, પણ તેમાં અમારા તરફથી કરાએલા પુરાવા સચોટ અને સત્ય જ છે. ટાઈમના અભાવે જ ૧૯૫૨-૬૧૮૯માં પાંચમ સંબંધી ક્ષય ન થયું હોય તેવા પુરાવા આપ લે કે તરફી થવા પામ્યા નથી. આપના તરફથી જે એક નિર્ણયને પ્રયાસ થઈ રહ્યો છે તેને અમે બીલકુલ યોગ્ય લેખતા નથી જ.
રામસૂરિજી D.-આપ જે કહી રહ્યા છે, તેમાં એક દિવસે જે કાંઈ કાર્ય થાય ને બીજે દિવસે તેના પર પડેદ પાડવામાં આવે છે ! તે ગેરવ્યાજબી છે. આમાં કાંઈ મેલી વસ્તુ લાગે છે. અને તેની શોધ કરવી રહી.
આપણામાં જે પરિસ્થિતિ કેશુભાઈના કહેવાથી ઉભી થઈ ગચ્છાધિપતિ વિગેરેનીઃ તેનાથી ઘણાને દુઃખ થાય એ પ્રસંગ છે. સાથે સાથે “છેડાને જ મળવું, સામુદાયિક વિચારણા ન કરવી, નાની સમિતિ ન નમવી” એ વિચાર હતે જ નહિ. હું પ્રથમથી કહેતે આવ્યું છું કે ઘણાથી કામ નહિ થાય. પણ તે બન્યું નથી ! ગઈકાલથી ચાલુ ચર્ચામાં પૂરાવા રજુ થતા હતા તે આજે અટકી ગએલ છે. ગઈકાલે ટાઈમ અધૂર રહેલ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org