________________
૧૮ + રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક. પંચાંગમાને છઠને ક્ષય કરે સારે છે.) આત્માનંદપ્રકાશ આમાં ગંભીરવિજયજી મહારાજે શું કહ્યું છે? (પાંચમને ક્ષય કહ્યો છે કે-છઠને ?) -
રામચંદ્રસૂરિ–આપણી વાત એ છે કે-ગંભીરવિજયજીને ખુલાસે તે પછીને છે. - નંદનસૂરિજી-એ વાત ખરી, પરંતુ ગંભીરવિજયજી મહારાજે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ નથી કરી એટલા પૂરતું (આ લખાણ વાંચ્યું છે)
રામચંદ્રસૂરિ-જૈનધર્મપ્રકાશમાં ૪૫ લખ્યું છે તે ગંભીર વિજયજી મહારાજના કહેવાથી લખ્યું છે.
નંદસૂરિજી-આ (વિચારમાં) ઉતાવળ કરો છે, (છાપવાની) રજા આપવી પડી.
રામચંદ્રસૂરિ-રજા આપી ત્યારે દિલમાં ૪પ એમ હતું ને?
નંદસૂરિજી-ખુંચતું હતું માટે પાછળથી તપાસ કરી, (અને છઠને ક્ષય જાહેર કર્યો)
રામચંદ્રસૂરિ–પાછળથી વિગ્રહ થયે. નંદનસૂરિજીના વિરહ નથી. રામચંદ્રસૂરિ-શાસ્ત્રાધારે વિચાર કરવાના દ્વાર બંધ કેમ કરાય છે?
નંદનસૂરિજી આ વિચાર સંવત્સરી છે, તેથી તે કરશું. પર્વતિથિને નહિ. તમેએ બધા આચાર્યોને પૂછયા વિના નવું કર્યું છે, તે મૂકી દેવું જોઈએ.
રામચંદ્રસૂરિજ્યારે જ્યારે જેણે જેણે અનુકૂળતા મુજબ ફેરફાર કર્યા છે તે પૂછીને કર્યા છે? બધાને માટે આ વાત છે.
નંદનસૂરિજી-અમે પર્વતિથિના ક્ષયવૃદ્ધિ (વાળે ફેરફાર) નથી કર્યો.
રામચંદ્રસૂરિ-આપણે બધાજ કરીએ છીએ તેમાં શાસ્ત્રવિરુદ્ધ શું છે? એ વિચારણા માટે દ્વાર બંધ કેમ?
નંદનસૂરિજી-બાર પર્વ તિથિને સ્વીકાર કરી લે, પછી સંવત્સરી માટે વિચાર કરશું. એમાં બધી વાત આવશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org