________________
૨૦૬ ૬ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહીં ;
નંદનસૂરિ તમે, “પૂરા આપી શક્યા નથી' એમ જે કહ્યું છે, તે તે હવે બરાબર છે ને?
રામચંદ્રસૂરિ-અક્ષરોના નથી, પૂરાવે તે જીવતા મહાપુરુષ છે “જીવતા મહાપુરુષ પક્ષમાં છે, માટે ન માનીએ તે યુક્ત નથી. ખુદ જીવતાના શબ્દોને માનવામાં આવે તેનાથી બીજે કયે પૂરા હેઈ શકે? કેટલાકે લખ્યું છે, કેટલાકે આચરેલું છે, કેટલાકે લખતા ન હતા. એ સ્થિતિમાં બધાના અક્ષર ક્યાંથી મળે? પૂ૦ આત્મારામજીમની શતાબ્દિ મહત્સવ પ્રસંગે આત્માનંદ પ્રકાશમાં ૧૪૨ ભેગા લાવવામાં આવેલ છે. ૬૧ની સાલમાં ક્ષયતિથિ આવતી હતી તે લખવામાં આવી છે. બુદ્ધિસાગરસૂરિમના પત્રમાં બે તિથિની વાત નેધેલ છે. આ બધી વાતે સંભવિત રીતે કહેવામાં આવેલ છે.
અમે તે કહીએ છીએ કે-વચમાં ગરબડ થઈ અમને શાસશુદ્ધ લાગ્યું તે કર્યું છે. શાસ્ત્રાધારે ચર્ચા કરવા બેસીએ તેમાં અમારી માન્યતા મુજબની આચરણ અસત્ય સિદ્ધ થાય તે અમે તે દરેક રીતે સુધારવા તૈયાર છીએ; પણ ચર્ચા ન જ થાય તેવી જે વાતે બતાવવામાં આવે છે તે અમને એગ્ય લાગતી નથી. સુશ્રાવક શ્રદ્ધાનું શેઠશ્રી કેશવલાલભાઈએ જે હેતુથી બોલાવ્યા છે તે હેતુ સરસ્તે જ નથી. તેમણે આપણને સઘળી તિથિની વિચારણા માટે ભેગા કર્યા છે તે રીતે આપણે શરૂ કરીએ. વિચારણા ન કરવી એ વાત બરાબર નથી. એ ફરી ફરી કહેવાય છે. આપણે વિચાર કરી એકમત આવવું જોઈએ. પુનઃ પુનઃ ભલામણ છે. હું વચમાં કેટલીક વાતેના ઉત્તરા ઈરાદાપૂર્વક ગળી ગયો છું. સત્ય મીઠું છતાં ઘણીવાર કડવું થઈ જાય છે. છતાં તેની ખરાબ અસર ન થાય તે માટે અમે ઘણે ઘણે ખ્યાલ રાખીએ છીએ. સંમેલનની બહાર ખરાબ અસર ન થાય તે પણ ખ્યાલ રખાય છે. શાસનની એ છાશ દેખાય તે અમે બીલકુલા ઈચ્છતા નથી. સારા જગતમાં શ્રમણસંઘની કત્તિ બતાવવાની ચિંતા રાતદિવસ છે. જે વાત જે હેતુસર કહેવામાં આવેલ છે તેને ધ્વન્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org