SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવાસમાં તો કયો રસ્તો ક્યાં જશે એની કાળજી રાખીને જ આગળ વધીએ છીએ... પણ જીવનપ્રવાસમાં આવી કાળજી રાખીએ છીએ ખરા? ગાંધીજી કહી શક્યા - મારું જીવન એ જ મારો સંદેશ છે. આપણે પણ આપણા શબ્દોને નહિ, કાર્યોને જ આપણે વિશે બોલવા દઈએ. કણ અને ક્ષણનો દુરુપયોગ જીવનને બરબાદ કરશે. જેવા વિચાર કરશો, તેવા તમે થવાના. ઉત્પાદક શ્રમ કર્યા વિના ખાવું એ ચોરી છે તેમ બિનજરૂરી | વસ્તુઓનો પરિગ્રહ પણ ચોરી છે. માનવતાનો ઉપાસક હોય, દુઃખીની આંખનાં આંસુ લુંછનારો હોય, સદ્ગુણ-વિકાસની કેડી પર ચાલનારો હોય ને તેજસ્વી જીવન જીવનારો હોય એ જ સાચો માનવ કહેવાય. અનન્ય ધ્યેયનિષ્ઠા, અડગ નિશ્ચયબળ ને અસીમ સત્યનિષ્ઠા વડે જ માનવતા દીપે. આપણાં વિચારો જ આપણને ઘડે છે. ક્રિોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કંઈપણ નથી. - ગાંધીજી (૧૧૮) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy