________________
9099099છૂછે છેહૂઝબૂઝ હૂછે છેq99999999 કે ગૃહિણીઓની પ્રેરણા બનો! પોતાની સામાજિક અને વ્યવહારિક જવાબદારીની સાથે સાથે છે હું ગૃહિણીઓ થોડો સમય કાઢી આવું સંશોધનાત્મક લિપ્યાંતર, જ્ઞાનતપ આરંભે તો ભંડારોમાં કેદ શું $ રહેલી હસ્તપ્રતોનો ઉદ્ધાર થઈ જાય, શ્રુતભક્તિ અને શ્રુતપૂજનનું પુણ્ય પ્રાપ્ત થાય.
ડૉ. ભાનુબેનને આ જ્ઞાન કાર્ય માટે અભિનંદન, ધન્યવાદ. બહેન! હવે ૨૦૧૩-૧૪માં હું કયો ગ્રંથ આપો છો? જેની પાસે ક્ષમતા છે એની પાસેથી જ અપેક્ષા રખાયને!
માં શારદાની કૃપા તમારા પ્રતિ અવિરત વરસતી રહો. ૧૮-૦૫-૨૦૧૨
ધનવંત શાહ drdtshah@hotmail.com
ಪಾಪಪಪಪಪಪಪಪಪಪಪಪಪಪಪಪಪಪಪಪಪಪಪಪಪಪಪಪಪಪಪಾಸಾ
અખંડ વિધાતપ શ્રીમતી ભાનુબહેન શાહે ઈ.સ. ૨૦૦૯માં શ્રાવક કવિ ઋષભદાસના સમકિતસાર રાસ'ને કેન્દ્રમાં રાખી Ph.D ની (વિદ્યાવાચસ્પતિ) પદવી પ્રાપ્ત કરી. આ પદવી બાદ હું એ નિમિત્તે પ્રાપ્ત થયેલી મધ્યકાલીન કૃતિઓને ઉકેલવાની તાલીમનો સદુપયોગ કરી શ્રેણિકરાજા શું રાસ અને અભયકુમાર રાસનું રાસ રસાળ' નામે સુંદર સંપાદન આપ્યું.
શ્રાવક કવિ ત્રઢષભદાસના સર્જન ભંડારમાંથી ત્રણ રાસકૃતિઓના સંપાદન બાદ પુનઃ $ “રોહિણેય રાસ'નું સંપાદન લઈને આવે છે. ભાનુબહેને આ સત્તર ઢાળની લઘુ રાસકૃતિનું વિસ્તૃત વિવરણ કર્યું છે, તેમાં તેમની વિદ્યાપ્રીતિના દર્શન થાય છે, તો Ph.D નિમિત્તે પ્રારંભાયેલ વિદ્યા-તપા કેવું અખંડપણે આગળ વધી રહ્યું છે, તેનું દર્શન થાય છે. આ સંપાદન કવિ અષભદાસની સ્વલિખિતા હસ્તપ્રતના આધારે થઈ રહ્યું છે, તેથી તેની પ્રમાણભૂતતામાં વૃદ્ધિ થાય છે.
રોહિણેય ચોરની પ્રસિદ્ધ કથામાં પ્રભુવીરના શબ્દો સાંભળી વિપત્તિમાંથી બચતો ચોર ધર્મમાર્ગે વળે છે, તે જાણીતી વાત છે પરંતુ, કવિ ષભદાસ રોહિણેયના પૂર્વજોની રસપ્રદ કથા આપણી સમક્ષ રજૂ કરે છે, તે આ કથાની વિશિષ્ટતા છે.
આ કથા પરથી રચાયેલું સંસ્કૃત નાટક 'પ્રબુદ્ધ રોહિણેયમ'નું સુંદર મંચન પ્રસિદ્ધ રંગકર્મી શ્રી ગોવર્ધન પંચાલ દ્વારા પાર્લા (મુંબઈ)ના ભાઈદાસ સભાગૃહમાં થયેલું. તેને જોવા માણવાનો લાભ મને પ્રાપ્ત થયેલો.
શ્રીમતી ભાનુબહેન શાહે આ લઘુ રાસકૃતિના વિવરણ અને પરિશિષ્ટમાં જૈનધર્મના છેઅનેક તત્ત્વોનો સુંદર વિનિયોગ કર્યો છે. જેને પરિણામે આ વિવરણ ખાસું દીર્ઘ બન્યું છે. ક્યાંક છે. કથાની સળંગ સૂત્રતાને હાનિ પહોંચે છે, પણ એકંદરે વાચકોને કથા સાથે તેમનો તત્ત્વજ્ઞાનનો હું અમૂલ્ય સુમેળ જોવા મળે છે. આ સાથે જ તેમણે અલંકાર, રસ, છંદ આદિની દષ્ટિએ પણ સમીક્ષા
કરી છે, જેનોંધપાત્ર છે. ફિ. છેલ્લે, શ્રીમતી ભાનુબહેનની વિદ્યાયાત્રા આ અને આવા વધુ નવા સંપાદનોની ભેટ $ દ્વારા સાહિત્ય જગતને સમૃદ્ધ કરો એવી શુભેચ્છા.
- લિ. અભય દોશીના પ્રણામ ૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org