________________
૧૦૯
દૂરદર્શી અભયકુમાર જાણતા હતા કે બહુરૂપી રોહિણેયકુમારને છોડવામાં આવે છે, તે મહાકપટી છે. માયાવી માનવીને કોણ ઓળખી શકે?
| માયા એટલે કપટ. માયા એ કષાય છે. ૧૮પાપસ્થાનકમાંથી માયા એ ૮મું પાપથાનક છે. માયા કરનાર સ્ત્રીવેદ મોહનીય કર્મનો બંધ કરે છે. ગૂઢમાયા કરવાથી તિર્યંચ ગતિ અથવા નપુંસક વેદ બંધાય છે. કવિ માયાના સંદર્ભમાં મલ્લિભગવતીનું દષ્ટાંત ટાંકે છે.*મલ્લિ ભગવતીએ જિનનામ કર્મનો બંધ કર્યો પણ સાથે સાથે સ્ત્રીવેદમોહનીય કર્મ બાંધ્યું. જૈન ઈતિહાસમાં આ એક અચ્છેરું છે.
રોહિણેયકુમારે પોતાનું વાસ્તવિક રૂપ છુપાવવા માયાનો સહારો લીધો. ફરી એકવાર તે નિર્દોષ સાબિત થયો. રોહિણેયકુમારનો ચોરીનો ઉપદ્રવ પ્રતિદિન વધતો જ ગયો. લોકો ત્રાહીમામ પોકારી ગયા. મહામંત્રી માયુષ થયા. તેમનાં બધાં સોગઠાં પાછાં પડયાં.
દુહા : ૦ દુહા (0 મંત્રી બુદ્ધિ વિચારતો, એ વલવલતો ચોર; નીતિ ચોરી એ કરઈ, પાડઈ નગરિ સોર
....૧૧૬ અર્થ: તેમણે ચોરને મુદ્દામાલ સાથે પકડવા અનેક ઉપાયો વિચાર્યા આ ચોર અત્યંત ચપળ, ચંચળ છે. તે નિત્ય ગરીમાં ચોરી કરી લોકોને રંજાડે છે. તેથી નગરમાં કોલાહલ વ્યાપી ગયો છે. ...૧૧૬
ઢાળ : પ મહામાત્ય દ્વારા રચાયેલું પ્રપંચ
| (દેશી સૂર સુંદરિ કહઈ સિર નામી) નીત્ય સોર કરી નઈ જાતો, મંત્રી અતિ માહુ થાતો; પછઈ એક વિમાસી વાતો, દહેરાહાએ ઝલાતો
•...૧૧૦ ગયો પૂજવા દેહેરઈ જ્યારઈ, રોહણીઉ ટુઈ ત્યારઈ; નવી લાભઈ અભયકુમારો, આણ્યો દેહેરઈ તેણી વારો
....૧૧૮ પૂજા કારણિ દેહેરઈ વિહરતો, નિસહી રોહણ નવિ કહઈતો; પરદક્ષણા તે નવિ દેતો, ઘટ ઢોલી પખાલ કરેતો
....૧૧૯ જિન અંગ લુહઈ જ ઘસરડી, ચાલ્યો શિરહ કચોલું રેડી; ચેઈનંદન ન કરઈ ત્યાહિં, આવ્યો અભઈકુમાર નર જાહિ વાદઈ વેગઈ અભયકુમારો, કરઈ રોહણી જ જોહારો; મંત્રીસ વીચારઈ જોઈ, એ રોહણીઉ સહી હોઈ ઝાલ્યો કપટિ ઊઠી હાથો, કરો સ્વાહામી અમનઈ સનાથો; અમ ઘરિ તુમ ભોજન કી જઈ, મુઝ શાહામી નઈ તારી જઈ
....૧૨૨ રોહણીઉ કહઈ હુતો ધીરો, ન પીઉં પર ઘરનું નીરો; વલગી તાણી નઈ જાઈ, આણ્યો ક્યાંહા કઈ ઘર રાઈ
....૧૨૩ રોહણ રૂપઈ પલટાઈ, રોહણસેઠી ત્યાહા થાઈ;
વીનવ્યો મંત્રી ઈં નાથો, ઝાલ્યો મર્દ ચોરનો હાથો *મલિભગવતીની કથા : જુઓ પરિશિષ્ટ વિભાગ - ૧.
....૧૨૦
....૧૨૧
...૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org