SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ પર્ષદાને બરાબર સંભળાય છે પરંતુ રોહિણેયકુમાર સમવસરણની ભૂમિની બહાર હતો. તેણે જિનવાણી શી રીતે સાંભળી? જેવી રીતે સિનેમાગૃહમાં પ્રથમ સીટ પર બેઠેલા વ્યક્તિને અને અંતિમ સીટ પર બેઠેલ વ્યક્તિને એક સરખો જ અવાજ સંભળાય છે, તેમ એક યોજન વ્યાપી ક્ષેત્રમાં પ્રથમથી અંતિમ સ્થાન સુધી દરેકને જિનવાણી એકસરખી સંભળાય છે. હા!સમવસરણની બહાર વાણી ન જ સંભળાય એવું નથી. સમવસરણના અંત ભાગથી ભગવાનની વાણી મંદ, મંદ થતી જાય છે. જેટલા સમવસરણથી દૂર એટલો અવાજ વધુધીમો થતો જાય છે. પ્રભુનો મેઘાવી સ્વર સમવસરણની બહાર(યોજન ઉપરાંત ક્ષેત્રમાં) પહોંચે છે તે વાતની સાક્ષી દુર્ગતા ડોસીનું દષ્ટાંત પૂરે છે, જે ઉપદેશ સપ્તતિકા' ગ્રંથ (પૃ.૬૯-૦૧)માં છે. દુર્ગતા નામની વૃદ્ધા જંગલમાંથી લાકડા વીણી લાવી, તેના શિથિલ બાંધેલા ભારામાંથી બે ત્રણ લાકડાં નીચે પડી ગયાં. તે લાકડાં લેવા નીચે નમી. તે સમયે ત્યાં ઉધાનમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. દેવોએ ક્ષણવારમાં સમવસરણની રચના કરી. વૃદ્ધાએ પ્રેમપૂર્વક, ઉલ્લાસથી ભગવાનની વાણી આદિથી અંત સુધી એકાગ્રતાપૂર્વક સાંભળી. તે પોતાનું ભૂખ, તરસ અને થાકનું કષ્ટ ભૂલી ગઈ. જિનવાણી શ્રવણની એકાગ્રતાના પ્રભાવે તે મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં દેવતા બની. તેણે સમવસરણમાં આવી અદ્ભુત નૃત્ય કર્યું. કેવી પ્રભાવશાળી છે જિનવાણી ! કેવું ઉપકારક છે શ્રુતજ્ઞાન!! જ્ઞાન : જ્ઞાયતે રચ્છિદ્યતે વસ્તુનેનેતિ જ્ઞાનમ્' અર્થાત્ જાણવું તે જ્ઞાન છે. અથવા જેના દ્વારા વસ્તુ તત્ત્વ જણાય છે તે જ્ઞાન છે. જ્ઞાન મોક્ષનું મુખ્ય અંગ છે. જ્ઞાન અને દર્શન આત્માના અસાધારણ ગુણ છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષય અને ક્ષયોપશમથી જે બોધ થાય તે જ્ઞાન છે. શ્રી નંદીસૂત્ર'માં જ્ઞાનના મુખ્ય પાંચ પ્રકાર છે. (૧) મતિજ્ઞાન : મતિ એટલે બુદ્ધિ દ્વારા સાચું અને સુનિશ્ચિત જ્ઞાન થાય તે મતિજ્ઞાન છે. તેમાં મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા અને અભિનિબોધ (અનુમાન) આવે છે. પાસે છે. (૨) શ્રુતજ્ઞાન: શબ્દોનું શ્રવણ કરવાથી ઈન્દ્રિય અને મન દ્વારા થતું જ્ઞાન તે શ્રુતજ્ઞાન છે. (૩) અવધિજ્ઞાન ક્રમિક આત્મશુદ્ધિ દ્વારા, ઈન્દ્રિયોની સહાયતા વિના આત્મા દ્વારા મર્યાદિત ક્ષેત્રમાં રહેલા રૂપી પદાર્થોનું થતું જ્ઞાન તે અવધિજ્ઞાન છે. (૪) મન:પર્યવજ્ઞાનઃ શુદ્ધિની માત્રા વધતાં અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞી પર્યાપ્તા જીવોના મનોગત ભાવોને જાણવાની લબ્ધિપ્રાપ્ત થાય તે મન:પર્યવજ્ઞાન છે. (૫) કેવળજ્ઞાન : શુદ્ધિની ચરમ કક્ષા સિદ્ધ થતાં લોકાલોકના દરેક પદાર્થોનું જ્ઞાન જે આત્મિક શક્તિથી જણાય તે કેવળજ્ઞાન છે. મનુષ્યની સાધનાનું તે અંતિમ ફળ છે. શુદ્ધ, સકલ, અસાધારણ, અનંત, નિર્વાઘાત, એક આદિપર્યાયવાચી નામો છે. ઉપરોક્ત પાંચે જ્ઞાન એક એકથી ચઢિયાતા છે, પ્રથમના ચાર જ્ઞાન ક્ષયોપશમ ભાવના છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy